
મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર યાત્રિકોની ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે સીસીટીવી કેમેરા દરવાજાની પાસે પણ લગાવવામાં આવશે.

ટ્રેનમાં કેમેરા ક્યાં લગાવવામાં આવશે? યાત્રિકોના કોચમાં કુલ 4 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેમાંથી પ્રત્યેક દરવાજાની એન્ટ્રી પર 2 કેમેરા લગાવવામાં આવશે. દરેક એન્જિનમાં 6 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેમાં એક એન્જિનની આગળ અને પાછળ બંન્ને બાજુ એક -એક સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

તો ચાલો હવે જાણી લઈએ કે, ટ્રેનમાં સીસીટીવી લગાવવાના ફાયદા શું છે. તો તમને જણાવી દઈએ કે, ભારતીય રેલવે દુનિયાની સૌથી મોટા રેલ નેટવર્કમાંથી એક છે. ભારતીય રેલવેમાં મેલ,એક્સપ્રેસ,પેસેન્જર જેવી ટ્રેનો સામેલ છે.ભારતીય રેલવેમાં દરરોજ અંદાજે 2.4 કરોડ લોકો મુસાફરી કરે છે.

સીસીટીવી કેમેરા ટ્રેનમાં લગાવવાથી છેડતી,પજવણી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં મદદ કરે છે.

તબીબી કટોકટી, આગ અથવા કોઈપણ અકસ્માત જેવી કટોકટીની સ્થિતિમાં, સીસીટીવી ફૂટેજ ઘટનાની પરિસ્થિતિને સમજવામાં મદદ કરી શકે છે અને અધિકારીઓને ઝડપથી અને અસરકારક રીતે પ્રતિભાવ આપવામાં મદદ કરી શકે છે.
Published On - 1:36 pm, Wed, 16 July 25