
દશેરા, દિવાળી અને છઠ્ઠ પૂજા માટે દિલ્હી, ચંડીગઢ અને મુંબઈથી પોતાના વતન જનારા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને નોર્ધન રેલવેએ મોટી રાહત આપી છે. રેલવે વિભાગે મુસાફરોની સુવિધાર્થે અનેક રૂટ્સ પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની સત્તાવાર જાહેરાત કરી છે.

તહેવારો દરમિયાન દિલ્હી અને બિહાર તરફ જતી રેગ્યુલર ટ્રેનોમાં અત્યારથી જ ભારે વેટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. મુસાફરોને ટિકિટ મેળવવામાં તકલીફ ન પડે અને વધુ કન્ફર્મ સીટો મળી રહે તે માટે આ સ્પેશિયલ ટ્રેનો ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન દોડાવવામાં આવશે.

ટ્રેન 04209 વારાણસીથી દર સોમ, બુધ અને શુક્રવારે રાત્રે 10:15 વાગ્યે નીકળીને બીજા દિવસે બપોરે 1:45 વાગ્યે દિલ્હી પહોંચશે. વળતી ટ્રેન 04210 દિલ્હીથી દર મંગળ, ગુરુ અને શનિવારે સાંજે 6:50 વાગ્યે ઉપડી સવારે 9:50 વાગ્યે વારાણસી પહોંચશે. (સેવા: 2 ઓક્ટોબરથી 29 નવેમ્બર).

અયોધ્યા કેન્ટથી ટ્રેન 04213 દર ગુરુ અને રવિવારે સાંજે 6:20 વાગ્યે ઉપડી સવારે 6:10 વાગ્યે આનંદ વિહાર પહોંચશે. વળતા રૂટમાં ટ્રેન 04214 આનંદ વિહારથી દર શુક્ર અને સોમવારે સવારે 9:00 વાગ્યે રવાના થઈ રાત્રે 10:00 વાગ્યે અયોધ્યા પહોંચશે. (સેવા: 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર).

ટ્રેન 04512 ચંડીગઢથી દર ગુરુવારે રાત્રે 11:35 વાગ્યે નીકળી બીજા દિવસે રાત્રે 9:15 વાગ્યે પટના પહોંચશે. જ્યારે ટ્રેન 04511 પટનાથી દર શુક્રવારે રાત્રે 11:15 વાગ્યે ઉપડી શનિવારે રાત્રે 9:40 વાગ્યે ચંડીગઢ પહોંચશે. (સેવા: 1 ઓક્ટોબરથી 27 નવેમ્બર).

ટ્રેન 04616 ફિરોઝપુર કેન્ટથી દર મંગળવારે બપોરે 12:00 વાગ્યે ઉપડી બીજા દિવસે સાંજે 6:35 વાગ્યે પટના પહોંચશે. જ્યારે વળતી ટ્રેન 04615 પટનાથી દર બુધવારે રાત્રે 8:20 વાગ્યે નીકળી બીજા દિવસે રાત્રે 11:55 વાગ્યે ફિરોઝપુર પહોંચશે. (સેવા: 6 ઓક્ટોબરથી 25 નવેમ્બર).

ટ્રેન 04227 વારાણસીથી દર ગુરુ અને રવિવારે સવારે 11:05 વાગ્યે રવાના થઈને બીજા દિવસે સવારે 4:20 વાગ્યે ચંડીગઢ પહોંચશે. પરત આવવા માટે ટ્રેન 04228 ચંડીગઢથી દર શુક્ર અને સોમવારે સવારે 6:00 વાગ્યે ઉપડી રાત્રે 12:55 વાગ્યે વારાણસી પહોંચશે.

નોર્ધન રેલવે હેડક્વાર્ટર દ્વારા આ તમામ ટ્રેનોનું શિડ્યુલ જાહેર કરી દેવાયું છે. તહેવારોની મોસમમાં ટ્રેનોના સમયમાં કોઈ ફેરફાર હોય તો મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલાં રેલવેની અધિકૃત વેબસાઇટ અથવા 139 નંબર પર ટ્રેનનું રિયલ-ટાઇમ સ્ટેટસ જરૂર ચેક કરી લે.