
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રમનદીપ સિંહે "કૈસી યે યારિયાં" ફેમ ટીવી અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે લગ્ન કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા. બંને આઠ વર્ષથી ડેટિંગ કરી રહ્યા હતા અને તેમના સંબંધોને સોશિયલ મીડિયાથી દૂર રાખ્યા હતા.

IPLમાં KKR માટે રમનારા રમનદીપ અને "MTV રોડીઝ 7" થી પોતાની કારકિર્દી શરૂ કરનાર ચાર્લી વચ્ચેના આ ગુપ્ત લગ્ન હવે ચર્ચાનો વિષય છે. તો ચાર્લી ચૌહાણ કોણ છે અને તેના પરિવાર વિશે વાત કરીએ.

ચાર્લી ચૌહાણનો પરિવાર જુઓ

ચાર્લી ચૌહાણનો જન્મ 8 સપ્ટેમ્બર 1989ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે જે ટીન ડ્રામા "બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરેવર?" માં ઈલા અને "કૈસી યે યારિયાં" માં મુક્તિ વર્ધનની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે.

ચાર્લીએ શો "બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરેવર?" માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે કુંવર અમર સાથે રિયાલિટી ડાન્સ શો "નચ બલિયે 5" માં પણ ભાગ લીધો હતો. MTVના લોકપ્રિય યુવા શો "કૈસી યે યારિયાં" માં મુક્તિ વર્ધનનું પાત્ર ભજવ્યું હતું, અને તે મ્યુઝિક આલ્બમ "બેપરવાહિયાં" નો પણ ભાગ રહી છે.

7 ઓગસ્ટ 2026ના રોજ ચાર્લીએ 8 વર્ષ રિલેશનશીપ પછી, ગુરુદ્વારામાં પરંપરાગત શીખ લગ્ન સમારંભમાં ભારતીય ક્રિકેટર રમનદીપ સિંહ સાથે લગ્ન કર્યા હતા.

ચાર્લી ચૌહાણ અને ક્રિકેટર રમણદીપ સિંહની લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. મોટાભાગની સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પોસ્ટ અથવા ફોટા દ્વારા તેમના સંબંધોની જાહેરાત કરે છે, પરંતુ ચાર્લી અને રમણદીપે 8 વર્ષ સુધી તેમના અફેરને ગુપ્ત રાખ્યું હતુ.

કોલકાતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક ઓલરાઉન્ડર રમણદીપ સિંહ અને ચાર્લી વચ્ચેનો સંબંધ એટલો મજબૂત હતો કે 8 વર્ષ પછી, તેમણે તેમના સંબંધને એક નવું નામ આપવાનું નક્કી કર્યું. 7 વર્ષની ઉંમરના તફાવત હોવા છતાં, તેમની પરસ્પર સમજણ અને પ્રેમ તેમના લગ્નનું સૌથી સુંદર કારણ બન્યું.

ચાર્લી અને રમનદીપે તેમના લગ્ન સાદગી અને ખાનગી રાખ્યા હતા.

લગ્નમાં ફક્ત નજીકના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. ચાર્લીના પરિવારમાં તેના માતા-પિતા અને 2 ભાઈ બહેન છે.

ચાર્લી ચૌહાણ પરંપરાગત દુલ્હનના પોશાકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યી છે, જ્યારે રમનદીપ સિંહ શીખ વરરાજાના રૂપમાં શાહી લુકમાં જોવા મળી રહ્યો છે.
Published On - 7:03 am, Tue, 11 August 26