
પીઢ અભિનેતા પ્રદીપ રાવત હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમનું અવસાન મંગળવાર 4 ઓગસ્ટના રોજ થયું. તેમણે બોલિવુડ અને સાઉથમાં અનેક હિટ ફિલ્મો આપી છે.

અભિનેતા પ્રદીપ રાવત કેન્સર સામેની લડાઈ હારી ગયા છે. અભિનેતાના મેનેજરના જણાવ્યા અનુસાર, તેમને ચાર વર્ષ પહેલાં કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેમણે કહ્યું, તેમને લગભગ ચાર વર્ષ પહેલાં કેન્સર થયું હતું, લગભગ દોઢ મહિના પહેલાં કેન્સર પાછું આવ્યું હતુ.

પ્રદીપ રાવતનો પરિવાર જુઓ

પ્રદીપ રાવતનો 21 જાન્યુઆરી 1952ના રોજ થયો હતો. જ્યારે પ્રદીપ રાવતનું મૃત્યું 4 ઓગસ્ટ 2026ના રોજ થયું છે. તે એક ભારતીય અભિનેતા હતા જેમણે મુખ્યત્વે તેલુગુ, હિન્દી અને તમિલ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું.

તેમણે બીઆર ચોપરાની મહાભારતથી અશ્વત્થામાની ભૂમિકા ભજવીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વિલનની ભૂમિકાઓ માટે પણ પ્રદીપ રાવત ફેમસ હતા.

પ્રદીપ રાવતની ઓળખ તેલુગુ સિનેમામાં ફિલ્મ સે દ્વારા થયો હતો. તમિલ સિનેમામાં તેમણે ફિલ્મ ગજની (2005) માં અભિનય કર્યો હતો. જ્યાં તેઓ ડબલ રોલમાં દેખાયા હતા.

તેમણે હિન્દી રિમેકમાં તેમની ભૂમિકા ફરીથી ભજવી હતી. તેમણે કન્નડ સિનેમા સાથે મલયાલમ સિનેમામાં ચાઇના ટાઉન બંગાળી સિનેમામાં હીરો 420 સાથે અને ભોજપુરી સિનેમામાં ક્રેક ફાઇટર સાથે ડેબ્યૂ કર્યું હતું.

પ્રદીપ રાવત મૂળ મધ્યપ્રદેશના જબલપુરના વતની હતા, જ્યાં તેમનો જન્મ થયો હતો. લાઇટિંગ અને કેમેરાની દુનિયામાં તેમની સફર સરળ નહોતી. શરૂઆતમાં તેમને અનેક રિજેક્શનનનો સામનો કરવો પડ્યો, પરંતુ પછી પીઢ ફિલ્મ નિર્માતા બી.આર. ચોપરાએ તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પર ધ્યાન આપ્યું. આના કારણે "મહાભારત" માં અશ્વત્થામાની ભૂમિકા ભજવી હતી.

આ ભૂમિકાએ રાવતને ખ્યાતિ અપાવી. તે તેમની કારકિર્દીમાં એક વળાંક સાબિત થયો, જેણે સિનેમામાં વધુ તકોના દરવાજા ખોલ્યા.

આજે પણ 'ગજની' ફિલ્મને આમિર ખાનના ટ્રાસફોર્મેશનની સાથે પ્રદીપ રાવતના શક્તિશાળી અને ડરામણા અભિનય માટે યાદ કરવામાં આવે છે. આ ફિલ્મ પ્રદીપ રાવત માટે એક માઈલસ્ટોન બની હતી.

પ્રદીપ રાવતે "અગ્નિપથ," "બાગી," "કોયલા," "મેજર સાહબ," અને "સરફરોશ" જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.

આમાંની મોટાભાગની ફિલ્મોમાં તેમણે સહાયક ભૂમિકાઓ ભજવી હતી. આ હોવા છતાં, તેમણે પોતાના માટે એક મજબૂત પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે.