
યુએસ અધિકારીએ સ્વીકાર્યું કે, ભારતને હજુ પણ મકાઈ અને સોયાબીન જેવા કેટલાક પાક અંગે વાંધો છે પરંતુ નવી દિલ્હીના તાજેતરના પ્રસ્તાવો ખુલ્લા અભિગમનો સંકેત આપે છે. ગ્રીરે કહ્યું કે, "ભારત હવે આપણી ચીજવસ્તુઓ માટે વૈકલ્પિક બજાર બની શકે છે."

કેન્સાસના સેનેટર 'જેરી મોરને' ચીન પર નિર્ભરતા ઘટાડવા અને નવા બજારો શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આના જવાબમાં ગ્રીરે કહ્યું કે, વર્તમાન ચર્ચાઓ અગાઉની બેઠકો કરતાં ઘણી વધુ સકારાત્મક છે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત પર 25% ટેરિફ + 25% વધારાના દંડ લાદવામાં આવ્યા પછી યુએસ અધિકારીઓ દ્વારા આ બીજી ઉચ્ચ-સ્તરીય મુલાકાત છે.

ગ્રીરે સંકેત આપ્યો હતો કે, કૃષિ સિવાયના બીજા ક્ષેત્રોમાં ટેરિફ અને બજાર ઍક્સેસ મુદ્દાઓને ઉકેલવા માટે ચર્ચા કરવામાં આવશે. બંને દેશો વચ્ચેના ટ્રેડ એગ્રીમેન્ટનો પહેલો ભાગ ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ લઈ શકે છે, જેના કારણે અમેરિકન ખેડૂતોને રાહત મળવાની અપેક્ષા છે અને ભારતને પણ અમેરિકન બજારમાં સારી પહોંચનો ફાયદો થશે.