
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. કંપનીઓએ (એમ્પ્લોયર્સે) કર્મચારીઓને ફોર્મ 16 આપવાનું શરૂ કરી દીધું છે. જો તમે સેલેરીડ ટેક્સપેયર્સ હોવ તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ફોર્મ 16 જરૂરી છે. ફોર્મ 16માં કર્મચારીની ગ્રોસ સેલરી, ટેક્સેબલ સેલરી, ટીડીએસ (TDS) અને ટેક્સ લાયબિલિટી જેવી વિગતો હોય છે. આમાં આપવામાં આવેલા ડેટાના આધારે ટેક્સ ફાઇલ કરવાથી ભૂલ થવાની સંભાવના ઓછી રહે છે.

નુકસાન કેરિફોર્વડ કરવાનો નિયમો શું છે? : કર નિષ્ણાતોના મતે, સમયસર ITR ફાઇલ કરવાથી ભલે નુકસાન થયું હોય કાયદેસર રીતે તમને ભવિષ્યના નફા સામે તે નુકસાનને સરભર કરવાની મંજૂરી મળે છે. NA શાહ એસોસિએટ્સના ટેક્સ પાર્ટનર ગોપાલ બોહરા સમજાવે છે કે જો કરદાતા પાસે કોઈ કર જવાબદારી ન હોય અને તેણે ફક્ત ઇક્વિટી અથવા મ્યુચ્યુઅલ ફંડમાંથી મૂડી નુકસાન કર્યું હોય, તો પણ નિયત તારીખ સુધીમાં ITR ફાઇલ કરવું ખૂબ ફાયદાકારક રહે છે.

ITR Filing : જો તમને શેરબજારમાં નફાને બદલે નુકસાન થાય છે તો શું તમારે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવું જોઈએ? નાણાકીય વર્ષ દરમિયાન ઇક્વિટી અથવા મ્યુચ્યુઅલ ફંડમાં નુકસાન સહન કરનારા રોકાણકારો ઘણીવાર ધારે છે કે તેમને ITR ફાઇલ કરવાની જરૂર નથી, ખાસ કરીને જો તેમની પાસે અન્ય કોઈ કરપાત્ર આવક ન હોય.

જોકે, કર નિષ્ણાતોના મતે, ખોટ કરતા વર્ષમાં ITR ફાઇલ કરવામાં નિષ્ફળ રહેવું લાંબા ગાળે ખૂબ ખર્ચાળ સાબિત થઈ શકે છે. જો તમે નિર્ધારિત સમયમર્યાદામાં તમારું રિટર્ન ફાઇલ નહીં કરો, તો તમે આ મૂડી નુકસાનને ભવિષ્યના વર્ષોમાં આગળ વધારવાનો અધિકાર ગુમાવો છો.

તેનું સીધું પરિણામ એ છે કે જ્યારે તમે ભવિષ્યમાં નફો કરો છો, ત્યારે તમે આ નુકસાન સામે તે નફાને સરભર કરી શકશો નહીં, જેના પરિણામે વધુ કર જવાબદારી થશે. ચાલો સરળ શબ્દોમાં સમજીએ કે નુકસાન થવા છતાં ITR ફાઇલ કરવું શા માટે ફાયદાકારક છે.