ના તો ‘શેર ટ્રેડિંગ’ કરી શકશો અને ના તો ‘સેલેરી’ આવશે! 31 ડિસેમ્બર પહેલા આટલું કામ કરજો, નહીં તો ‘PAN Card’ બંધ થઈ જશે

31 ડિસેમ્બર પહેલા દરેક વ્યક્તિએ 'PAN કાર્ડ' ને લગતું એક કામ અવશ્ય કરવાનું રહેશે. જો આ કામ નહીં થાય, તો તમે આગળ કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ, શેર ટ્રેડિંગ કે KYC અપડેટ્સ જેવા ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.

ના તો શેર ટ્રેડિંગ કરી શકશો અને ના તો સેલેરી આવશે! 31 ડિસેમ્બર પહેલા આટલું કામ કરજો, નહીં તો PAN Card બંધ થઈ જશે
| Updated on: Nov 07, 2025 | 2:39 PM

જો તમારું PAN ઈનએક્ટિવ કરવામાં આવે છે, તો એવામાં તમારું બેંક એકાઉન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સુરક્ષિત રહેશે પરંતુ તમે આગળ કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ, શેર ટ્રેડિંગ અથવા KYC અપડેટ્સ જેવા ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.

ભારત સરકારે Permanent Account Number (PAN) અને આધાર કાર્ડને લિંક કરવાનું ફરજિયાત કરી કાઢ્યું છે. ‘TaxBuddy’ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચેતવણી આપી હતી કે, જો તમે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં તમારા PAN ને આધાર સાથે લિંક નહીં કરો, તો તમારું PAN કાર્ડ 1 જાન્યુઆરી, 2026 થી ‘Inactive’ કરી દેવામાં આવશે.

ટેક્સબડી અનુસાર, “તમારું PAN કાર્ડ 1 જાન્યુઆરી, 2026 થી ‘Inactive’ કરવામાં આવશે. વધુમાં તમે તમારું ITR ફાઇલ કરી શકશો નહીં અથવા રિફંડ મેળવી શકશો નહીં. તમારી સેલેરી ક્રેડિટ અથવા SIP પણ વ્યર્થ જઈ શકે છે.”

ટેક્સ નિષ્ણાતોએ શું કહ્યું?

આ ચેતવણી સાથે ટેક્સ નિષ્ણાતોએ લોકોને શક્ય તેટલી વહેલી તકે પાન-આધાર લિંકિંગ પૂરું કરવા કહ્યું છે, જેથી નાણાકીય વ્યવહારો અથવા કોઈપણ ટેક્સ સંબંધિત કાર્યમાં કોઈ મુશ્કેલી ન આવે. ખાસ વાત એ છે કે, સરકારે PAN-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ ઘણી વખત લંબાવી છે પરંતુ અત્યાર સુધીની નવી છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2025 છે. આ પછી તારીખ વધુ લંબાશે, તેવી શક્યતા ઓછી છે.

કોને PAN-આધાર લિંક કરવાની જરૂર છે?

નાણા મંત્રાલયના 3 એપ્રિલ, 2025 ના રોજના નોટિફિકેશન અનુસાર, “1 ઓક્ટોબર, 2024 પહેલા આધાર અરજી ફોર્મના એનરોલમેન્ટ ID ના આધારે PAN ફાળવવામાં આવેલ દરેક વ્યક્તિએ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં આવકવેરા વિભાગને તેમના આધાર નંબરની જાણ કરવી જરૂરી છે.”

આનો અર્થ એ છે કે, જો તમે આધાર એનરોલમેન્ટ ID નો ઉપયોગ કરીને PAN મેળવેલ હોય, તો તમારે આધાર નંબર પ્રાપ્ત કર્યા પછી PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. આ પ્રોસેસ ઇન્કમ ટેક્સ વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ પર સરળતાથી ઓનલાઈન પૂરી કરી શકાય છે.

જો તમે PAN-આધારને લિંક ન કરો તો શું થશે?

  1. જો તમે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં PAN-આધાર લિંકિંગ નહીં કરો, તો 1 જાન્યુઆરી, 2026 થી તમારું PAN ‘Inactive’ થઈ જશે.
  2. તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરી શકશો નહીં અથવા તો તેની ચકાસણી કરી શકશો નહીં.
  3. તમને ટેક્સ રિફંડ મળશે નહીં.
  4. બાકી ITR પ્રોસેસ કરવામાં આવશે નહીં.
  5. ‘TDS/TCS’ માહિતી ફોર્મ 26AS માં દેખાશે નહીં.
  6. ‘TDS/TCS’ ઊંચા દરે કાપવામાં આવશે.
  7. PAN ફરીથી લિંક કર્યા પછી સામાન્ય રીતે 30 દિવસની અંદર ફરીથી એક્ટિવ થઈ જશે.

‘Inactive’ PAN ની નાણાકીય અસર

જો તમારું PAN ઈનએક્ટિવ થઈ જાય છે, તો તમારું બેંક એકાઉન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સુરક્ષિત રહેશે પરંતુ તમે આગળ કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ, શેર ટ્રેડિંગ અથવા KYC અપડેટ્સ જેવા ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં. વધુમાં, પગાર ટ્રાન્સફર અથવા SIP ઓટો-ડેબિટ નિષ્ફળ થઈ શકે છે. નવું બેંક ખાતું ખોલવા, ઇન્વેસ્ટમેન્ટ કરવામાં અથવા તો તે રોકાણ રિડીમ કરવામાં મુશ્કેલી આવી શકે છે.

ITR ફાઇલિંગ અથવા ટેક્સ કમ્પ્લાયન્સ બંધ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે, તમારા પૈસા સુરક્ષિત રહેશે પરંતુ જ્યાં સુધી PAN ફરીથી એક્ટિવ ન થાય ત્યાં સુધી તમામ નાણાકીય વ્યવહારો અને ટેક્સ સંબંધિત પ્રવૃત્તિઓ બંધ રહેશે.

PAN-આધાર લિંકિંગ પ્રોસેસ

  • આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ ‘https://www.incometax.gov.in’ ની મુલાકાત લો
  • “લિંક આધાર” વિકલ્પ પસંદ કરો.
  • તમારો PAN નંબર, આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરો.
  • OTP વેરિફિકેશન કરો.
  • જો PAN પહેલેથી જ ‘Inactive’ હોય, તો પહેલા ₹1,000 ફી ચૂકવો.
  • પ્રોસેસ પૂર્ણ થયા પછી ‘Quick Links → Link Aadhaar Status’ પર જઈને સ્ટેટસ ચકાસો.

બિઝનેસને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો