Ind-Pak War : જો પરમાણુ બોમ્બ પડે તો જીવ કેવી રીતે બચાવવો? જાણી લો, રેડિયેશનથી બચવાના ઉપાયો

જો કોઈ દેશ દ્વારા પરમાણુ બોમ્બ ફેંકવામાં આવે, તો તેના રેડિયેશનથી બચવા માટે તમે શું કરશો? તો ચાલો જાણીએ,આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

| Updated on: May 09, 2025 | 3:26 PM
4 / 9
પરમાણુ બોમ્બ એ દુનિયાનો સૌથી ખતરનાક અને ભયાનક બોમ્બ છે અને ખાસ વાત તો એ કે આની અસર ફક્ત વિસ્ફોટ સુધી મર્યાદિત નથી હોતી. આ હથિયારનો ઉપયોગ છેલ્લે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો હતો, જ્યારે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. હિરોશિમા પરના હુમલામાં લગભગ 80,000 લોકો મૃત્યુ પામ્યા હતા.

પરમાણુ બોમ્બ એ દુનિયાનો સૌથી ખતરનાક અને ભયાનક બોમ્બ છે અને ખાસ વાત તો એ કે આની અસર ફક્ત વિસ્ફોટ સુધી મર્યાદિત નથી હોતી. આ હથિયારનો ઉપયોગ છેલ્લે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો હતો, જ્યારે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. હિરોશિમા પરના હુમલામાં લગભગ 80,000 લોકો મૃત્યુ પામ્યા હતા.

5 / 9
નાગાસાકી પરના હુમલામાં શહેરનો 80 ટકા ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. આ ઘટનાઓએ સાબિત કર્યું હતું કે, પરમાણુ હુમલાનો ખરો ખતરો વિસ્ફોટથી નહીં પણ પછીના રેડિયેશનથી શરૂ થાય છે.

નાગાસાકી પરના હુમલામાં શહેરનો 80 ટકા ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. આ ઘટનાઓએ સાબિત કર્યું હતું કે, પરમાણુ હુમલાનો ખરો ખતરો વિસ્ફોટથી નહીં પણ પછીના રેડિયેશનથી શરૂ થાય છે.

6 / 9
જો કોઈ દેશ પર પરમાણુ હથિયારથી હુમલો કરવામાં આવે છે તો તે દેશમાં તબાહી થઈ જાય છે અને બચવા માટેનો સમય પણ ઓછો રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે, વિસ્ફોટ પછી રેડિયેશન ખૂબ જ ઝડપથી ફેલાય છે. જેની અસર ઘણા કિલોમીટર સુધી થાય છે. હવે આવી સ્થિતિમાં, રેડિયેશનથી બચવા માટે તમારે કેટલાંક મહત્ત્વપૂર્ણ પગલાં ભરવા જોઈએ.

જો કોઈ દેશ પર પરમાણુ હથિયારથી હુમલો કરવામાં આવે છે તો તે દેશમાં તબાહી થઈ જાય છે અને બચવા માટેનો સમય પણ ઓછો રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે, વિસ્ફોટ પછી રેડિયેશન ખૂબ જ ઝડપથી ફેલાય છે. જેની અસર ઘણા કિલોમીટર સુધી થાય છે. હવે આવી સ્થિતિમાં, રેડિયેશનથી બચવા માટે તમારે કેટલાંક મહત્ત્વપૂર્ણ પગલાં ભરવા જોઈએ.

7 / 9
ભાગવાનો પ્રયાસ કરશો નહીં: રેડિયેશનના સંપર્કમાં આવ્યા પછી તરત જ ભાગવાને બદલે કોઈ સુરક્ષિત જગ્યાએ સંતાઈ જાઓ. જ્યાં પણ તમને ઠંડી અને સુરક્ષિત જગ્યા મળે ત્યાં તરત જ જતાં રહો અને આગામી 24 કલાક સુધી બહાર ન નીકળો.

ભાગવાનો પ્રયાસ કરશો નહીં: રેડિયેશનના સંપર્કમાં આવ્યા પછી તરત જ ભાગવાને બદલે કોઈ સુરક્ષિત જગ્યાએ સંતાઈ જાઓ. જ્યાં પણ તમને ઠંડી અને સુરક્ષિત જગ્યા મળે ત્યાં તરત જ જતાં રહો અને આગામી 24 કલાક સુધી બહાર ન નીકળો.

8 / 9
કપડાં ઉતારો: રેડિયેશનના કણો કપડાં પર ચોંટી શકે છે, તેથી પહેલા તરત જ તમારા કપડાં ઉતારો. ત્યારબાદ તેને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દો. આ સિવાય કપડાંને માણસો અને પ્રાણીઓથી દૂર રાખો.

કપડાં ઉતારો: રેડિયેશનના કણો કપડાં પર ચોંટી શકે છે, તેથી પહેલા તરત જ તમારા કપડાં ઉતારો. ત્યારબાદ તેને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દો. આ સિવાય કપડાંને માણસો અને પ્રાણીઓથી દૂર રાખો.

9 / 9
સાબુથી સ્નાન કરો: સાબુ અને પાણીથી સારી રીતે સ્નાન કરો. શરીરને વધુ પડતું ઘસવું નહીં તેનું ધ્યાન રાખો. તદુપરાંત આંખો, નાક અને કાન સાફ કરવા માટે ફક્ત સ્વચ્છ કપડાનો ઉપયોગ કરો.

સાબુથી સ્નાન કરો: સાબુ અને પાણીથી સારી રીતે સ્નાન કરો. શરીરને વધુ પડતું ઘસવું નહીં તેનું ધ્યાન રાખો. તદુપરાંત આંખો, નાક અને કાન સાફ કરવા માટે ફક્ત સ્વચ્છ કપડાનો ઉપયોગ કરો.