
ગંદા અને જૂના ટુવાલનો ઉપયોગ કરવાથી ખીલ, ફોલ્લા, ચેપ અને ખંજવાળનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. (Image Source | iStock)

જૂના ટુવાલમાંથી એક વિચિત્ર અને ખરાબ ગંધ બહાર આવે છે. જે એલર્જી અથવા છીંકનું કારણ બની શકે છે. સમય જતાં, ટુવાલના રેસા કડક થઈ જાય છે. જે તેની પાણી શોષવાની ક્ષમતાને ઘટાડે છે. (Image Source | iStock)

નિષ્ણાતોના મતે, ટુવાલને મહત્તમ 3થી 4 વખત ઉપયોગ કર્યા પછી ધોઈ લેવું જોઈએ. (Image Source | iStock)

દરેક ઉપયોગ પછી, ટુવાલને ખુલ્લી હવામાં અથવા સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે મુકવું જોઈએ. ભીના ટુવાલને ક્યારેય ફોલ્ડ કરવો નહીં. (Image Source | iStock)

અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ગરમ પાણી અને સારા ડિટર્જન્ટથી ટુવાલ ધોવો જરૂરી છે. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)