
હાલમાં RBI એ બેંક લોકરમાં સોનાના સંગ્રહ માટે કોઈ મર્યાદા નક્કી કરી નથી, એટલે કે ગ્રાહકો લોકરમાં ગમે તેટલું સોનું રાખી શકે છે. જો કે, બેંક જરૂર પડે ત્યારે તપાસ કરી શકે છે કે, લોકરમાં રાખેલું સોનું કાયદેસર રીતે ખરીદાયેલું છે કે નહીં અને તેના માટે ખરીદીનું બિલ અથવા પુરાવો હોવો જરૂરી છે. આ ઉપરાંત તમારા લોકરમાં શું છે, તે અંગે બેંક પૂછપરછ કરી શકતી નથી, સિવાય કે કંઈક ગેરકાયદેસર રાખવાની શંકા હોય.

દિવાળી પછી બેંકિંગ નિયમો બદલાયા છે. હવે, લોકર બુક કરતી વખતે તમારે બેંકને પ્રાથમિકતા સૂચિ (Priority List) પ્રદાન કરવાની જરૂર રહેશે. આ દસ્તાવેજમાં સ્પષ્ટ રીતે લખેલું હશે કે, લોકર ધારકના અવસાન પછી લોકર ખોલવાનો અધિકાર કોને મળશે. આ નિયમનો હેતુ પરિવાર વચ્ચેના વિવાદો અને કાનૂની મુશ્કેલીઓથી બચવાનો છે.

અગાઉ ઘણી વખત એવું બનતું હતું કે, લોકર માલિકના અવસાન બાદ પરિવારજનો વચ્ચે વિવાદ ઉભો થતો હતો પરંતુ હવે યાદી મુજબ પ્રથમ વ્યક્તિ લોકર માટે પાત્ર બનશે. જો તે હાજર નહીં રહે, તો યાદીમાં બીજું નામ જેનું હશે તેને તક આપવામાં આવશે.