
આધાર કાર્ડમાં જરૂરી માહિતી અપડેટ કરવા માટે, તમારે એક ચોક્કસ રકમની ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત, તમારે જે વિગતોમાં ફેરફાર કરવાનો હોય તેને લગતા સંબંધિત માન્ય દસ્તાવેજો પણ ઓનલાઈન અપલોડ કરવા પડશે. તે પછી જ આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયા પૂર્ણ થાય છે.

આ સમયે ઘણા લોકોના મનમાં એવો સવાલ આવતો હશે કે જો આધાર કાર્ડમાં એકથી વધુ વિગતો ખોટી હોય અને તેને સુધરાવવી હોય તો શું આપણે તે તમામ વિગતો એક સાથે સુધારી શકીએ કે નહીં ? એટલે કે આધાર કાર્ડમાં એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકાય છે.

તો અમે તમને જણાવી દઈએ કે, UIDAIએ એકવારમાં કેટલી વાર સુધારો કરી શકાય તે અંગે કોઈ પ્રકારનો પ્રતિબંધ કે નિયમ કર્યો નથી. આધાર કાર્ડનો ઉપયોગ કરનાર કોઈપણ નાગરિક ઈચ્છે તો એક સાથે તમામ માહિતી અપડેટ કરી શકે છે. આ માટે કોઈ અલગથી ફી ભરવાની પણ નહીં રહે.