
ભારતમાં મોટા ભાગના લોકો ચા પીવાનું ખૂબ પસંદ કરે છે. સવારે એક કપ ગરમ ચા શરીરને તાજગી અને ઊર્જા આપે છે, તેથી ઘણા લોકો દિવસમાં અનેક વખત ચા પીતા હોય છે. પરંતુ કોઈપણ વસ્તુની જેમ ચાનો વધુ ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. આયુર્વેદ અને વિજ્ઞાન બંને મુજબ વધુ ચા પીવાથી શરીર પર નકારાત્મક અસર થઈ શકે છે, તેથી દિવસમાં યોગ્ય માત્રામાં જ ચા પીવી જોઈએ. ( Credits: AI Generated )

વિજ્ઞાન અનુસાર સ્વસ્થ વ્યક્તિ માટે દિવસમાં અંદાજે 2થી 3 કપ ચા પીવી યોગ્ય માનવામાં આવે છે. એક કપ ચામાં લગભગ 30 મિલિગ્રામ જેટલું કેફીન હોય છે. જો દિવસમાં ઘણી વધારે ચા પીવામાં આવે તો શરીરમાં કેફીનનું પ્રમાણ વધી શકે છે, જેનાથી ઊંઘમાં ખલેલ, બેચેની અથવા ગભરાટ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ક્યારેક હાથ-પગમાં થોડી ધ્રુજારી પણ અનુભવાઈ શકે છે, જે વધુ કેફીનનો સંકેત હોઈ શકે છે. ( Credits: AI Generated )

ચામાં ટેનીન નામનું તત્વ હોય છે, જે શરીરમાં આયર્ન શોષાવામાં અવરોધ પેદા કરી શકે છે. જો ભોજન સાથે અથવા તરત પછી ચા પીવામાં આવે, તો ખોરાકમાંથી મળતું આયર્ન સારી રીતે શોષાઈ શકતું નથી. લાંબા સમય સુધી આવું ચાલુ રહે તો એનિમિયા જેવી સમસ્યા થવાની શક્યતા વધે છે. તેથી નિષ્ણાતો સલાહ આપે છે કે ભોજન પહેલાં અથવા પછી ઓછામાં ઓછા એક કલાક પછી જ ચા પીવી જોઈએ. ( Credits: AI Generated )

આયુર્વેદ મુજબ ચાનો સ્વભાવ ગરમ હોય છે. વધુ ચા પીવાથી પેટમાં ગરમી વધીને એસિડિટી અથવા હાર્ટબર્ન થઈ શકે છે. ખાસ કરીને ખાલી પેટ ચા પીવી યોગ્ય માનવામાં આવતી નથી, કારણ કે તે પાચનતંત્રને અસંતુલિત કરી શકે છે અને દિવસભર ભારેપણું અથવા ઉબકા જેવી સમસ્યા ઉભી થઈ શકે છે. ( Credits: AI Generated )

દૂધ અને ખાંડવાળી ચા મર્યાદિત માત્રામાં પીવામાં આવે તો સામાન્ય રીતે નુકસાન કરતી નથી. પરંતુ વારંવાર વધુ ચા પીવાથી શરીરમાં વધારાની કેલરી જાય છે, જેનાથી વજન વધવાની શક્યતા રહે છે. ખાસ કરીને વજન ઘટાડવા ઈચ્છતા લોકો અને ડાયાબિટીસ ધરાવતા લોકોએ ચા અને તેમાં ઉમેરાતી ખાંડની માત્રા પર ધ્યાન રાખવું જોઈએ. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )