Farming Tips : ખેતરોમાં પાણી ભરાવા પાછળ માત્ર વરસાદ નહીં, વર્ષોની રાસાયણિક ખેતી પણ છે જવાબદાર ?

ચોમાસું આવતા જ ખેડૂતોના મનમાં ખુશી સાથે એક ચિંતા પણ ઉભી થાય છે. ભારે વરસાદથી ખેતરમાં પાણી ભરાઈ જાય છે. તેથી પાક સડી જવાની શક્યતા રહે છે. પાક સડવા પાછળ માત્ર વરસાદ જ નહીં પરંતુ જમીનની બદલાયેલી સ્થિતિ પણ હોય છે.

| Updated on: Jul 09, 2026 | 2:31 PM
1 / 7
કેમિકલના ઉપયોગથી ખેતીની જમીન બની રહી છે કઠણ : વધુ ઉત્પાદન માટે વર્ષોથી ખેતીમાં યુરિયા અને ડીએપીનો (ખેતીમાં વપરાતું કેમિકલ ખાતર) ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનાથી જમીન ખરાબ થઈ રહી છે. કેમિકલના કારણે જમીનના સૂક્ષ્મ જીવાણુઓ નષ્ટ થાય છે તેનાથી જમીન પોચી રહેવાને બદલે કઠણ બનવા લાગે છે. (Image Source | iStock)

કેમિકલના ઉપયોગથી ખેતીની જમીન બની રહી છે કઠણ : વધુ ઉત્પાદન માટે વર્ષોથી ખેતીમાં યુરિયા અને ડીએપીનો (ખેતીમાં વપરાતું કેમિકલ ખાતર) ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનાથી જમીન ખરાબ થઈ રહી છે. કેમિકલના કારણે જમીનના સૂક્ષ્મ જીવાણુઓ નષ્ટ થાય છે તેનાથી જમીન પોચી રહેવાને બદલે કઠણ બનવા લાગે છે. (Image Source | iStock)

2 / 7
ખેતીમાં પાણી ભરાવાની સમસ્યા કેમ વધે છે? : જ્યારે જમીન કઠણ બની જાય છે ત્યારે વરસાદનું પાણી ઝડપથી અંદર ઉતરી શકતું નથી. પરિણામે ખેતરમાં પાણી ભરાઈ જાય છે. પાકના મૂળને ઓક્સિજન મળતો નથી. ધીમે-ધીમે પાક સડવા લાગે છે. (Image Source | iStock)

ખેતીમાં પાણી ભરાવાની સમસ્યા કેમ વધે છે? : જ્યારે જમીન કઠણ બની જાય છે ત્યારે વરસાદનું પાણી ઝડપથી અંદર ઉતરી શકતું નથી. પરિણામે ખેતરમાં પાણી ભરાઈ જાય છે. પાકના મૂળને ઓક્સિજન મળતો નથી. ધીમે-ધીમે પાક સડવા લાગે છે. (Image Source | iStock)

3 / 7
પ્રાકૃતિક ખેતી જમીનને આપે છે નવું જીવન : પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત અને કુદરતી પદ્ધતિઓના ઉપયોગથી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ સક્રિય થઈ શકે છે. આ પ્રક્રિયા જમીનની ગુણવત્તા સુધારે છે. સાથે જ ખેતીને જીવંત રાખે છે. (Image Source | iStock)

પ્રાકૃતિક ખેતી જમીનને આપે છે નવું જીવન : પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત અને કુદરતી પદ્ધતિઓના ઉપયોગથી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ સક્રિય થઈ શકે છે. આ પ્રક્રિયા જમીનની ગુણવત્તા સુધારે છે. સાથે જ ખેતીને જીવંત રાખે છે. (Image Source | iStock)

4 / 7
અળસિયાં જમીનના કુદરતી એન્જિનિયર : પ્રાકૃતિક ખેતીમાં અળસિયાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ જમીનમાં નાના-નાના છિદ્રો બનાવે છે. જેના કારણે જમીન સ્પોન્જ જેવી બને છે. ભારે વરસાદનું પાણી પણ સરળતાથી જમીનમાં શોષાઈ જાય છે. (Image Source | iStock)

અળસિયાં જમીનના કુદરતી એન્જિનિયર : પ્રાકૃતિક ખેતીમાં અળસિયાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ જમીનમાં નાના-નાના છિદ્રો બનાવે છે. જેના કારણે જમીન સ્પોન્જ જેવી બને છે. ભારે વરસાદનું પાણી પણ સરળતાથી જમીનમાં શોષાઈ જાય છે. (Image Source | iStock)

5 / 7
રાસાયણિક અને પ્રાકૃતિક ખેતીમાં મોટો તફાવત : રાસાયણિક ખેતી જમીનની પાણી શોષવાની ક્ષમતાને ઘટાડે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી જમીનને પોચી બનાવે છે. આવી જમીન વરસાદી પાણીનો સંગ્રહ કરે છે.  પ્રાકૃતિક ખેતી પાકને સુરક્ષિત રાખે છે. (Image Source | iStock)

રાસાયણિક અને પ્રાકૃતિક ખેતીમાં મોટો તફાવત : રાસાયણિક ખેતી જમીનની પાણી શોષવાની ક્ષમતાને ઘટાડે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી જમીનને પોચી બનાવે છે. આવી જમીન વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. પ્રાકૃતિક ખેતી પાકને સુરક્ષિત રાખે છે. (Image Source | iStock)

6 / 7
બદલાતા હવામાનમાં પ્રાકૃતિક ખેતી હોય છે જરૂરી : ક્લાઈમેટ ચેન્જના કારણે ક્યાંક ઓછો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળે છે. આવા સમયમાં પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ખેડૂતોની આર્થિક સુરક્ષા અને દેશની અન્ન સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ બની રહી છે. (Image Source | iStock)

બદલાતા હવામાનમાં પ્રાકૃતિક ખેતી હોય છે જરૂરી : ક્લાઈમેટ ચેન્જના કારણે ક્યાંક ઓછો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળે છે. આવા સમયમાં પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ખેડૂતોની આર્થિક સુરક્ષા અને દેશની અન્ન સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ બની રહી છે. (Image Source | iStock)

7 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Follow Us