
હળદર અને સરસવનું તેલ : 50 ગ્રામ હળદર અને 350 ગ્રામ સરસવનું તેલ ભેળવીને ગાય, ભેંસ જેવા મોટા પશુને પીવડાવવું. નાના પશુ માટે આ દવાનો અડધો ભાગ આપવો. આ ઉપાય ગામડાઓમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે.

ચા પત્તીનું ઉકાળેલું પાણી : 10 ગ્રામ ચા પત્તીને 500 ગ્રામ પાણીમાં ઉકાળી, ઠંડુ કર્યા બાદ પશુને નળી દ્વારા પીવડાવવું. આ પ્રક્રિયા દિવસમાં બે વાર કરવાથી તાવમાં રાહત મળી શકે છે.

તેલ અને સૂંઠનો ઉપયોગ : 50 ગ્રામ સૂંઠને કૂટી તેમાં 100 ગ્રામ તેલ ભેળવી લો. આ મિશ્રણ પશુને સવારે અને સાંજે નળી દ્વારા પીવડાવવું. બીજા દિવસે અસર દેખાય છે.

મીઠું, સીસમની છાલ અને જૂટ : 500થી 700 ગ્રામ મીઠું પશુની પીઠ પર મસળવું. ત્યારબાદ અંગારાથી ભરેલા વાસણમાં સીસમની છાલ અને જૂની જૂટ નાખીને તેનો ધુમાડો પશુની નાક આગળ કરવો. આ ઉપાયથી બે દિવસમાં રાહત મળે છે.

સરગવાનું મૂળ અને પાણી : સરગવાનું પાણીમાં ઉકાળી તે પાણીથી પશુને સતત ત્રણ દિવસ સુધી રોજ એકવાર સ્નાન કરાવવું.

મરી, કાળુ મીઠું અને છાશ : 700 ગ્રામ મરી અને 100ગ્રામ કાળું મીઠું બારીક પીસી લો. આ મિશ્રણને 6થી 7 લીટર છાશમાં ભેળવીને દિવસમાં બે વાર પશુને નળી દ્વારા પીવડાવવું. બે દિવસમાં અસર દેખાય છે અને ત્રીજા દિવસે તાવ સંપૂર્ણ ઉતરી જાય છે.

ડુંગળી, ફટકડી અને સોયાબીન તેલ : 300થી 400 ગ્રામ ડુંગળી કૂટી તેનો રસ કાઢીને 200 ગ્રામ પાણીમાં ભેળવી પશુને પીવડાવવું. આ મિશ્રણ બે દિવસ સુધી દિવસમાં બે વાર આપવું. આ ઉપરાંત 100 ગ્રામ ફટકડી પીસીને 250 ગ્રામ સોયાબીન તેલમાં ભેળવીને એક જ વાર પશુને પીવડાવવું.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Published On - 2:39 pm, Wed, 24 June 26