Animal Care : ગાય-ભેંસ સહિત નાના-મોટા પશુઓમાં ઉધરસ અને તાવ માટે અસરકારક ઘરેલુ દેશી ઉપચાર જાણો

ગાય-ભેંસ સહિત નાના-મોટા પશુઓમાં ઉધરસ અને તાવ સામાન્ય સમસ્યા બની શકે છે. યોગ્ય સમય પર ઘરેલુ દેશી ઉપચાર કરવાથી પશુને ઝડપી રાહત મળી શકે છે અને તેમનું આરોગ્ય સુધરી શકે છે. સરળ નુસખાઓ ગામડાઓમાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાય છે.

| Updated on: Jun 24, 2026 | 2:57 PM
1 / 8
હળદર અને સરસવનું તેલ : 50 ગ્રામ હળદર અને 350 ગ્રામ સરસવનું તેલ ભેળવીને ગાય, ભેંસ જેવા મોટા પશુને પીવડાવવું. નાના પશુ માટે આ દવાનો અડધો ભાગ આપવો. આ ઉપાય ગામડાઓમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે.

હળદર અને સરસવનું તેલ : 50 ગ્રામ હળદર અને 350 ગ્રામ સરસવનું તેલ ભેળવીને ગાય, ભેંસ જેવા મોટા પશુને પીવડાવવું. નાના પશુ માટે આ દવાનો અડધો ભાગ આપવો. આ ઉપાય ગામડાઓમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે.

2 / 8
ચા પત્તીનું ઉકાળેલું પાણી : 10 ગ્રામ ચા પત્તીને 500 ગ્રામ પાણીમાં ઉકાળી, ઠંડુ કર્યા બાદ પશુને નળી દ્વારા પીવડાવવું. આ પ્રક્રિયા દિવસમાં બે વાર કરવાથી તાવમાં રાહત મળી શકે છે.

ચા પત્તીનું ઉકાળેલું પાણી : 10 ગ્રામ ચા પત્તીને 500 ગ્રામ પાણીમાં ઉકાળી, ઠંડુ કર્યા બાદ પશુને નળી દ્વારા પીવડાવવું. આ પ્રક્રિયા દિવસમાં બે વાર કરવાથી તાવમાં રાહત મળી શકે છે.

3 / 8
તેલ અને સૂંઠનો ઉપયોગ : 50 ગ્રામ સૂંઠને કૂટી તેમાં 100 ગ્રામ તેલ ભેળવી લો. આ મિશ્રણ પશુને સવારે અને સાંજે નળી દ્વારા પીવડાવવું. બીજા દિવસે અસર દેખાય છે.

તેલ અને સૂંઠનો ઉપયોગ : 50 ગ્રામ સૂંઠને કૂટી તેમાં 100 ગ્રામ તેલ ભેળવી લો. આ મિશ્રણ પશુને સવારે અને સાંજે નળી દ્વારા પીવડાવવું. બીજા દિવસે અસર દેખાય છે.

4 / 8
મીઠું, સીસમની છાલ અને જૂટ : 500થી 700 ગ્રામ મીઠું પશુની પીઠ પર મસળવું. ત્યારબાદ અંગારાથી ભરેલા વાસણમાં સીસમની છાલ અને જૂની જૂટ નાખીને તેનો ધુમાડો પશુની નાક આગળ કરવો. આ ઉપાયથી બે દિવસમાં રાહત મળે છે.

મીઠું, સીસમની છાલ અને જૂટ : 500થી 700 ગ્રામ મીઠું પશુની પીઠ પર મસળવું. ત્યારબાદ અંગારાથી ભરેલા વાસણમાં સીસમની છાલ અને જૂની જૂટ નાખીને તેનો ધુમાડો પશુની નાક આગળ કરવો. આ ઉપાયથી બે દિવસમાં રાહત મળે છે.

5 / 8
સરગવાનું મૂળ  અને પાણી : સરગવાનું પાણીમાં ઉકાળી તે પાણીથી પશુને સતત ત્રણ દિવસ સુધી રોજ એકવાર સ્નાન કરાવવું.

સરગવાનું મૂળ અને પાણી : સરગવાનું પાણીમાં ઉકાળી તે પાણીથી પશુને સતત ત્રણ દિવસ સુધી રોજ એકવાર સ્નાન કરાવવું.

6 / 8
મરી, કાળુ મીઠું અને છાશ : 700 ગ્રામ મરી અને 100ગ્રામ કાળું મીઠું બારીક પીસી લો. આ મિશ્રણને 6થી 7 લીટર છાશમાં ભેળવીને દિવસમાં બે વાર પશુને નળી દ્વારા પીવડાવવું. બે દિવસમાં અસર દેખાય છે અને ત્રીજા દિવસે તાવ સંપૂર્ણ ઉતરી જાય છે.

મરી, કાળુ મીઠું અને છાશ : 700 ગ્રામ મરી અને 100ગ્રામ કાળું મીઠું બારીક પીસી લો. આ મિશ્રણને 6થી 7 લીટર છાશમાં ભેળવીને દિવસમાં બે વાર પશુને નળી દ્વારા પીવડાવવું. બે દિવસમાં અસર દેખાય છે અને ત્રીજા દિવસે તાવ સંપૂર્ણ ઉતરી જાય છે.

7 / 8
ડુંગળી, ફટકડી અને સોયાબીન તેલ : 300થી 400 ગ્રામ ડુંગળી કૂટી તેનો રસ કાઢીને 200 ગ્રામ પાણીમાં ભેળવી પશુને પીવડાવવું. આ મિશ્રણ બે દિવસ સુધી દિવસમાં બે વાર આપવું. આ ઉપરાંત 100 ગ્રામ ફટકડી પીસીને 250 ગ્રામ સોયાબીન તેલમાં ભેળવીને એક જ વાર પશુને પીવડાવવું.

ડુંગળી, ફટકડી અને સોયાબીન તેલ : 300થી 400 ગ્રામ ડુંગળી કૂટી તેનો રસ કાઢીને 200 ગ્રામ પાણીમાં ભેળવી પશુને પીવડાવવું. આ મિશ્રણ બે દિવસ સુધી દિવસમાં બે વાર આપવું. આ ઉપરાંત 100 ગ્રામ ફટકડી પીસીને 250 ગ્રામ સોયાબીન તેલમાં ભેળવીને એક જ વાર પશુને પીવડાવવું.

8 / 8
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Published On - 2:39 pm, Wed, 24 June 26

Follow Us