
જ્યોતિષી અનીશ વ્યાસ કહે છે કે, શિવલિંગ પૂજા દરમિયાન પહેલા જળ ચઢાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓનું પાણી શિવલિંગ પર ચઢાવી શકો છો. એટલા માટે એવું પણ કહેવાય છે કે, જો સાચા હૃદયથી શુદ્ધ જલ પણ ચઢાવવામાં આવે તો ભોલે-ભંડારી ખુશ થાય છે.

શિવલિંગ પર જળ ચઢાવ્યા પછી જ તમારે બિલિપત્ર ચઢાવવું જોઈએ. આ પછી તમે દૂધ, ફૂલો, ફળો વગેરે જેવી અન્ય પૂજા સામગ્રી પણ ચઢાવી શકો છો.

તમે શિવલિંગ પર 3, 5, 7, 9, 11 કે તેથી વધુ બિલિપત્ર ચઢાવી શકો છો. બિલિપત્ર ચઢાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.

શિવલિંગ પર બિલિપત્ર ચઢાવતી વખતે એ પણ ધ્યાનમાં રાખો કે બિલિપત્ર ક્ષતિગ્રસ્ત, તૂટેલું કે છિદ્રોવાળું ન હોવું જોઈએ. આ ઉપરાંત પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ રાખો.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)
Published On - 2:56 pm, Thu, 10 July 25