History of city name : સોમનાથ મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

સોમનાથ મંદિર ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું છે અને તેને હિંદુ ધર્મના અગત્યના તીર્થસ્થળોમાંનું પ્રથમ ધરાવતું "જ્યોતિર્લિંગ" કહેવાય છે. આ મંદિરને લઈને અનેક ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિકોણોથી મહત્વપૂર્ણ માહિતી છે.

| Updated on: May 10, 2026 | 6:29 PM
1 / 8
સોમનાથ એટલે "ચંદ્રનો સ્વામી" (સોમ = ચંદ્ર, નાથ = સ્વામી). ઐતિહાસિક કથાઓ મુજબ, ચંદ્રદેવે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરીને તેમના અર્શીવાદ મેળવ્યા હતા. ભગવાન શિવ તેમના પર પ્રસન્ન થઈને અહીં અવતાર લીધો હતો અને એટલે તેમને "સોમનાથ" તરીકે ઓળખવામાં આવ્યા.  (Credits: - Wikipedia)

સોમનાથ એટલે "ચંદ્રનો સ્વામી" (સોમ = ચંદ્ર, નાથ = સ્વામી). ઐતિહાસિક કથાઓ મુજબ, ચંદ્રદેવે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરીને તેમના અર્શીવાદ મેળવ્યા હતા. ભગવાન શિવ તેમના પર પ્રસન્ન થઈને અહીં અવતાર લીધો હતો અને એટલે તેમને "સોમનાથ" તરીકે ઓળખવામાં આવ્યા. (Credits: - Wikipedia)

2 / 8
સોમનાથ મંદિર 12  જ્યોતિર્લિંગોમાં સૌથી પ્રથમ ગણાય છે. આ જ્યોતિર્લિંગ ભગવાન શિવના શક્તિસ્થળો માનું એક છે, જ્યાં તેમની ઉપાસના ખાસ રૂપે કરવામાં આવે છે. (Credits: - Wikipedia)

સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં સૌથી પ્રથમ ગણાય છે. આ જ્યોતિર્લિંગ ભગવાન શિવના શક્તિસ્થળો માનું એક છે, જ્યાં તેમની ઉપાસના ખાસ રૂપે કરવામાં આવે છે. (Credits: - Wikipedia)

3 / 8
મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. 649ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું (Credits: - Wikipedia)

મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. 649ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું (Credits: - Wikipedia)

4 / 8
સોમનાથ મંદિરનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે અને તેને વારંવાર વિધ્વંસ તથા પુનર્નિર્માણનો સામનો કરવો પડ્યો છે. મહંમદ ગઝનીએ 1025 સાલમાં આ મંદિર પર હુમલો કરી તેને લૂંટ્યું અને તોડ્યું. ત્યારબાદ આ મંદિરે અન્ય મુઘલ શાસકો અને મુસ્લિમ આક્રમણકારોથી પણ નુકસાન થયેલું.

સોમનાથ મંદિરનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે અને તેને વારંવાર વિધ્વંસ તથા પુનર્નિર્માણનો સામનો કરવો પડ્યો છે. મહંમદ ગઝનીએ 1025 સાલમાં આ મંદિર પર હુમલો કરી તેને લૂંટ્યું અને તોડ્યું. ત્યારબાદ આ મંદિરે અન્ય મુઘલ શાસકો અને મુસ્લિમ આક્રમણકારોથી પણ નુકસાન થયેલું.

5 / 8
ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને 1787 માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો

ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને 1787 માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો

6 / 8
આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રિ સરદાર વલ્લભભાઈ પટેલની પહેલ પર મંદિરનું ફરીથી નર્માણ થયું. 1 મે 1951ના દિવસે કે જયારે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ.

આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રિ સરદાર વલ્લભભાઈ પટેલની પહેલ પર મંદિરનું ફરીથી નર્માણ થયું. 1 મે 1951ના દિવસે કે જયારે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ.

7 / 8
મંદિરનું સ્થળ એટલું વિશિષ્ટ છે કે તે પોઈન્ટ પરથી સીધી રેખા આફ્રિકા સુધી જાય છે અને વચ્ચે કોઈ ભૌગોલિક જમીનનો ખંડ આવતો નથી.  જેને "ઝીરો ઓબ્સ્ટ્રક્શન" ગોઠવણી કહે છે.

મંદિરનું સ્થળ એટલું વિશિષ્ટ છે કે તે પોઈન્ટ પરથી સીધી રેખા આફ્રિકા સુધી જાય છે અને વચ્ચે કોઈ ભૌગોલિક જમીનનો ખંડ આવતો નથી. જેને "ઝીરો ઓબ્સ્ટ્રક્શન" ગોઠવણી કહે છે.

8 / 8
આ મંદિર આજે ભારતના સૌથી પવિત્ર અને પ્રવાસન સ્થળોમાંના એક તરીકે ઓળખાય છે. દર વર્ષે લાખો ભાવિકો અને પ્રવાસીઓ અહીં દર્શન કરવા માટે આવે છે. મંદિરની આર્કિટેક્ચર અને લોકકથાઓ તેને વિશિષ્ટ બનાવે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

આ મંદિર આજે ભારતના સૌથી પવિત્ર અને પ્રવાસન સ્થળોમાંના એક તરીકે ઓળખાય છે. દર વર્ષે લાખો ભાવિકો અને પ્રવાસીઓ અહીં દર્શન કરવા માટે આવે છે. મંદિરની આર્કિટેક્ચર અને લોકકથાઓ તેને વિશિષ્ટ બનાવે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

Published On - 6:01 pm, Fri, 25 April 25

Follow Us
Loading...
Unable to load recommendations.