
મંદિરનું સ્થાપત્ય મારુ-ગુર્જર શિલ્પશૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. આ શૈલીમાં દ્રવિડ અને નાગર શૈલીનો મિશ્રણ જોવા મળે છે. મંદિર ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજિત છે.

ગર્ભગૃહ જ્યાં સૂર્ય દેવની મૂર્તિ સ્થાપિત હતી. ગૂઢમંડપ, શ્રદ્ધાળુઓ માટે ઉપાસના સ્થળ. સૂર્યકુંડ જેને રામકુંડ પણ કહેવાય છે, જ્યાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરતા પહેલા પૂજા માટે જતા.

મંદિરનું નિર્માણ એવા ખગોળીય હિસાબથી થયું છે કે વસંત ઋતુના સમયગાળા સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહમાં સૂર્યમૂર્તિ પર પડતા હતા.આ ઐતિહાસિક કૃતિ આજે પણ વિજ્ઞાન અને આર્કિટેક્ચર માટે આશ્ચર્યજનક છે.

કહેવામાં આવે છે કે મહમૂદ ગઝ્નવીના આક્રમણ દરમિયાન મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આજે પણ ત્યાં પ્રાચીન અવશેષો જોવા મળે છે, 1024-1025 દરમિયાન, ગઝનીના મહમુદે ભીમના રાજ્ય પર આક્રમણ કર્યું હતું, અને લગભગ 20,000 સૈનિકોની સેનાએ મોઢેરા ખાતે તેની પ્રગતિને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

મોઢેરા મંદિર હવે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા સુરક્ષિત છે. દર વર્ષે અહીં મોઢેરા ડાન્સ ફેસ્ટિવલ યોજાય છે, જેમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યોનું ભવ્ય આયોજન થાય છે. યુનેસ્કો દ્વારા તે વિશ્વ ધરોહર સ્થળ તરીકે પસંદ થવાની શક્યતા ધરાવે છે.

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)