
1818માં જોધપુર બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. તે રાજપૂતાના એજન્સીનું સૌથી મોટું રજવાડું હતું. આ પ્રદેશમાં બ્રિટીશ વહીવટી એકમ,જેણે હાલના રાજસ્થાન રાજ્યના મધ્ય અને દક્ષિણપશ્ચિમ ભાગો પર કબજો કર્યો હતો. 1949માં તે રાજસ્થાનમાં ભળી ગયું. (Credits: - Canva)

મુઘલ શાસન દરમિયાન જોધપુરના રાજાઓએ મુઘલ સામ્રાજ્ય સાથે સબંધો બનાવ્યા. 19મી સદી દરમિયાન, જોધપુર બ્રિટિશ ભારતના રજવાડા રાજ્ય તરીકે ઓળખાતું હતું. (Credits: - Canva)

બ્રિટિશ કાળ દરમિયાન પણ જોધપુર તેની સંસ્કૃતિ, હસ્તકલા અને વેપાર માટે જાણીતું રહ્યું. (Credits: - Wikipedia)

ભારતમાં સ્વતંત્રતા બાદ જોધપુર રાજય ભારત સંગઠનમાં ભળી ગયું. આજે તે રાજસ્થાન રાજ્યનું એક મહત્વપૂર્ણ શહેર છે (Credits: - Canva)

જોધપુર ઐતિહાસિક મારવાડ રજવાડાની રાજધાની પણ હતી. થાર રણની વચ્ચે જોધપુર એક પ્રખ્યાત પર્યટન સ્થળ પણ છે જ્યાં ઘણા ભવ્ય મહેલો, કિલ્લાઓ અને મંદિરો આવેલા છે. જોધપુરને સનસિટી અને બ્લુ સિટી પણ કહેવામાં આવે છે. (Credits: - Canva)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Canva)