
ચામુંડા માતાનું પ્રસિદ્ધ મંદિર અને ઐતિહાસિક મહત્વને કારણે ચોટીલા પ્રખ્યાત છે. સોઢા પરમાર અને ખાચર કાઠીઓના શાસન હેઠળ રહેલા આ સ્થળનો ઇતિહાસ રસપ્રદ છે. આજે, ચોટીલા ભક્તિ અને પ્રવાસનનું કેન્દ્ર બની ગયું છે.

પ્રાચીન કાળમાં ચોટીલાને ચોટગઢ તરીકે ઓળખાતું હતું. આ વિસ્તાર પહેલેથી જ સોઢા પરમાર શાસકોના અધિકાર હેઠળ હતું, પરંતુ જ્યારે જગસીયો પરમારના શાસન સમયે તે ખાચર કાઠીઓના હાથમાં આવ્યું અને તે તેમનું એક મુખ્ય મથક બન્યું. ઘણા ખાચર કાઠીઓના વંશજોનું મૂળ ચોટીલા ખાતે છે.ઈ.સ. 1566માં કાઠીઓએ આ વિસ્તાર પર અધિકાર મેળવન્યો હતો. બ્રિટિશ સમયગાળામાં ચોટીલા એજન્સી થાણાનું કેન્દ્રીય મથક રહ્યું હતું. (Credits: - Wikipedia)

આજે ચોટીલા તીર્થ સ્થળ તરીકે ગુજરાતમાં ખાસ નામ ધરાવે છે. નવરાત્રીમાં અને ખાસ કરીને આસો-સુદ અગિયારસે અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે. અહીં હવે રેલવે અને રોડવેઝથી પણ સહેલાઈથી પહોંચી શકાય છે. (Credits: - Wikipedia)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)