
આધ્યાત્મિક શાસ્ત્રો અને સંસ્કૃતિની ભાવનાને પ્રતિબિંબિત કરતું આ મંદિર સંકુલ આશરે 13 વર્ષના સમયગાળામાં તૈયાર કરવામાં આવ્યું હતું. અંદાજે 23 એકરમાં ફેલાયેલા આ પરિસરમાં મુખ્ય મંદિર અક્ષરધામ છે, જે રાજસ્થાનના લગભગ 6000 મેટ્રિક ટન ગુલાબી રેતીના પથ્થરોથી બનાવવામાં આવ્યું છે.

‘અક્ષરધામ’ નામ એ સ્વામિનારાયણ સંપ્રદાયના BAPS દ્રષ્ટિકોણ મુજબ ભગવાન સ્વામિનારાયણના શાશ્વત નિવાસ સ્થાનને દર્શાવે છે. અનુયાયીઓ માને છે કે મોક્ષની પ્રાપ્તિને અનુસરી આત્મા અંતે અક્ષરધામમાં સ્થાન પામે છે. BAPS સંઘના માન્યતા પ્રમાણે,સ્વામિનારાયણને સર્વશક્તિમાન પરમાત્મા તરીકે પૂજા કરવામાં આવે છે.

આ મંદિર માત્ર ધાર્મિક ન હતુ, પણ તેમાં સાંસ્કૃતિક, શિક્ષણાત્મક અને આધ્યાત્મિક સંગ્રહાલય, ઓડિયો વિઝ્યુઅલ શો, વિખ્યાત “સત-ચિત્ત-આનંદ વોટર શો” અને સહજાનંદ વન તરીકે વિશાળ બગીચા અને યાત્રાધામ પણ છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)