History of city name : મહાભારત અને રામાયણ યુગ સાથે જોડાયેલા ગુજરાતના આ જિલ્લાની વિશેષતા જાણીને ચોંકી જશો

ગુજરાતના નર્મદા જિલ્લાનું નામ નર્મદા નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ જિલ્લો તેના સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. અહીંનો ઇતિહાસ આદિવાસી સંસ્કૃતિ, પ્રાચીન રાજવંશો અને આધુનિક વિકાસ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલો છે.

| Updated on: Mar 31, 2025 | 10:49 PM
4 / 10
રામાયણ, મહાભારત અને પછીના ગ્રંથોમાં નર્મદા નદીના ઘણા સંદર્ભો છે. પૌરાણિક પરંપરા અનુસાર, સોમવંશી રાજા દ્વારા નર્મદાની એક નહેર ખોદવામાં આવી હતી, જેના કારણે તેનું નામ સોમોદ્ભવ પણ પડ્યું.વાલ્મીકિએ રામાયણમાં પણ નર્મદાનો ઉલ્લેખ કર્યો છે.મહાભારતમાં, નર્મદા ઋષભ પર્વતમાંથી ઉદ્ભવી હોવાનું માનવામાં આવે છે.

રામાયણ, મહાભારત અને પછીના ગ્રંથોમાં નર્મદા નદીના ઘણા સંદર્ભો છે. પૌરાણિક પરંપરા અનુસાર, સોમવંશી રાજા દ્વારા નર્મદાની એક નહેર ખોદવામાં આવી હતી, જેના કારણે તેનું નામ સોમોદ્ભવ પણ પડ્યું.વાલ્મીકિએ રામાયણમાં પણ નર્મદાનો ઉલ્લેખ કર્યો છે.મહાભારતમાં, નર્મદા ઋષભ પર્વતમાંથી ઉદ્ભવી હોવાનું માનવામાં આવે છે.

5 / 10
પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં આ વિસ્તાર પર ચાલુક્ય, સોલંકી અને મરાઠા રાજવંશોનો શાસન રહ્યો, ગુજરાતના સોલંકી વંશના શાસકોએ આ વિસ્તારનું શાસન કર્યું હતું અને તેમનાં સમયમાં નર્મદા નદી પર કેટલાંક પ્રાચીન મંદિરો બન્યાં.

પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં આ વિસ્તાર પર ચાલુક્ય, સોલંકી અને મરાઠા રાજવંશોનો શાસન રહ્યો, ગુજરાતના સોલંકી વંશના શાસકોએ આ વિસ્તારનું શાસન કર્યું હતું અને તેમનાં સમયમાં નર્મદા નદી પર કેટલાંક પ્રાચીન મંદિરો બન્યાં.

6 / 10
મરાઠાઓ અને મુગલો વચ્ચે આ વિસ્તાર માટે ઘણી લડાઈઓ પણ થઈ હતી, કેટલાક ભાગો પર મરાઠા સરદારોએ પણ શાસન કર્યું.

મરાઠાઓ અને મુગલો વચ્ચે આ વિસ્તાર માટે ઘણી લડાઈઓ પણ થઈ હતી, કેટલાક ભાગો પર મરાઠા સરદારોએ પણ શાસન કર્યું.

7 / 10
1818 પછી આ વિસ્તાર બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન હેઠળ આવ્યું, નર્મદા વિસ્તાર બ્રિટિશ શાસનમાં ભરૂચ જિલ્લાના ભાગ તરીકે ઓળખાતું, આ દરમિયાન અંગ્રેજોએ સરકારી હસ્તકમાં પાટનગરો અને ગામડાઓનો વિકાસ કર્યો, તેમજ પરિવહન માટે નર્મદા નદીનો ઉપયોગ કર્યો.

1818 પછી આ વિસ્તાર બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન હેઠળ આવ્યું, નર્મદા વિસ્તાર બ્રિટિશ શાસનમાં ભરૂચ જિલ્લાના ભાગ તરીકે ઓળખાતું, આ દરમિયાન અંગ્રેજોએ સરકારી હસ્તકમાં પાટનગરો અને ગામડાઓનો વિકાસ કર્યો, તેમજ પરિવહન માટે નર્મદા નદીનો ઉપયોગ કર્યો.

8 / 10
1947માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ, નર્મદા વિસ્તાર ગુજરાત રાજ્યનો ભાગ બન્યો,1960માં મુંબઈ રાજ્યમાંથી અલગ પડી, ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ-અલગ રાજ્યો બન્યા, અને નર્મદા વિસ્તાર ગુજરાતમાં રહ્યો.

1947માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ, નર્મદા વિસ્તાર ગુજરાત રાજ્યનો ભાગ બન્યો,1960માં મુંબઈ રાજ્યમાંથી અલગ પડી, ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ-અલગ રાજ્યો બન્યા, અને નર્મદા વિસ્તાર ગુજરાતમાં રહ્યો.

9 / 10
2 ઑક્ટોબર 1997ના રોજ, ભરૂચ જિલ્લાથી અલગ કરીને નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી, રાજપીપળા શહેર નર્મદા જિલ્લાના મુખ્યાલય તરીકે પસંદ કરવામાં આવ્યું,આ વિસ્તાર ખાસ કરીને આદિવાસી સમુદાયો માટે આર્થિક અને સામાજિક વિકાસનું કેન્દ્ર બન્યું. ( Credits: Getty Images )

2 ઑક્ટોબર 1997ના રોજ, ભરૂચ જિલ્લાથી અલગ કરીને નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી, રાજપીપળા શહેર નર્મદા જિલ્લાના મુખ્યાલય તરીકે પસંદ કરવામાં આવ્યું,આ વિસ્તાર ખાસ કરીને આદિવાસી સમુદાયો માટે આર્થિક અને સામાજિક વિકાસનું કેન્દ્ર બન્યું. ( Credits: Getty Images )

10 / 10
સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (182 મીટર)છે,તેનું ઉદ્ઘાટન 2018 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તે નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં આવેલું છે અને એક મુખ્ય પર્યટન સ્થળ બની ગયું છે. ( Credits: Getty Images )

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (182 મીટર)છે,તેનું ઉદ્ઘાટન 2018 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તે નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં આવેલું છે અને એક મુખ્ય પર્યટન સ્થળ બની ગયું છે. ( Credits: Getty Images )

Published On - 2:24 pm, Mon, 3 March 25