History of city name : ડાકોર નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ડાકોર એક એવું યાત્રાધામ છે જે ભક્તિ, ઇતિહાસ અને પરંપરા સાથે ગાઠ બાંધેલું છે. તેનું નામ ભક્તિ પર આધીરિત છે, અને ભગવાન રણછોડરાયજી સાથે તેની કથા ભક્તોને દિવ્યતાનો અહેસાસ કરાવે છે. આજે પણ ડાકોર ગુજરાતના મુખ્ય પવિત્ર ધામોમાંથી એક માનવામાં આવે છે.

| Updated on: Jun 30, 2025 | 8:26 PM
4 / 8
આ કુંડ આજે “ગોમતીકુંડ” તરીકે ઓળખાય છે. સમય પસાર થતાં આ પવિત્ર સ્થળની આજુબાજુ વસાહતો વિકસતી ગઈ. શરૂઆતમાં એ ડંકપુર તરીકે ઓળખાતું, જે બાદમાં રૂપાંતર પામીને આજનું "ડાકોર" ગામ બન્યું. (Credits: - Wikipedia)

આ કુંડ આજે “ગોમતીકુંડ” તરીકે ઓળખાય છે. સમય પસાર થતાં આ પવિત્ર સ્થળની આજુબાજુ વસાહતો વિકસતી ગઈ. શરૂઆતમાં એ ડંકપુર તરીકે ઓળખાતું, જે બાદમાં રૂપાંતર પામીને આજનું "ડાકોર" ગામ બન્યું. (Credits: - Wikipedia)

5 / 8
એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ, પોતાના પરમ ભક્ત બોડાણા પર પ્રસન્ન થઈ, દ્વારકાથી ડાકોર સુધી ગાડામાં બેસાડીને લઇ આવ્યા હતા. સંવત 1212ના વર્ષમાં તેઓ પ્રથમવાર ડાકોર પધાર્યા. અહીં આગમન પછી ભગવાને થોડા સમય માટે ગોમતી તળાવમાં છુપાયા હતા. ત્યારબાદ તેમણે ભક્ત બોડાણા સાથે મંદિરની પરિસરમાં નિવાસ કર્યો.સમયની સાથે સંવત 1500માં ભગવાન શ્રીકૃષ્ણ પોતાની પત્ની લક્ષ્મીજી સાથે ભવ્ય મંદિરમાં પધાર્યા.  (Credits: - Wikipedia)

એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ, પોતાના પરમ ભક્ત બોડાણા પર પ્રસન્ન થઈ, દ્વારકાથી ડાકોર સુધી ગાડામાં બેસાડીને લઇ આવ્યા હતા. સંવત 1212ના વર્ષમાં તેઓ પ્રથમવાર ડાકોર પધાર્યા. અહીં આગમન પછી ભગવાને થોડા સમય માટે ગોમતી તળાવમાં છુપાયા હતા. ત્યારબાદ તેમણે ભક્ત બોડાણા સાથે મંદિરની પરિસરમાં નિવાસ કર્યો.સમયની સાથે સંવત 1500માં ભગવાન શ્રીકૃષ્ણ પોતાની પત્ની લક્ષ્મીજી સાથે ભવ્ય મંદિરમાં પધાર્યા. (Credits: - Wikipedia)

6 / 8
ઈતિહાસ મુજબ ઈ. સ 1777માં મહાવદના પાંચમના પવિત્ર દિવસે,ગાયકવાડ રજવાડાના મુનીમો દ્વારા ભગવાનની પવિત્ર મૂર્તિનું વિધિવત્ રૂપે સ્થાપન કરવામાં આવ્યું, જે આજે પણ મુખ્ય મંદિરમાં આરાધના પામે છે.

ઈતિહાસ મુજબ ઈ. સ 1777માં મહાવદના પાંચમના પવિત્ર દિવસે,ગાયકવાડ રજવાડાના મુનીમો દ્વારા ભગવાનની પવિત્ર મૂર્તિનું વિધિવત્ રૂપે સ્થાપન કરવામાં આવ્યું, જે આજે પણ મુખ્ય મંદિરમાં આરાધના પામે છે.

7 / 8
હાલનું મંદિર 18મી સદીમાં વડોદરાના ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા બનાવાયું હતું. વિશાળ ગોમતી તળાવ પણ મંદિરની નજીક આવેલું છે, જે તીર્થ તરીકે માનવામાં આવે છે.અહીં દર વર્ષે "ફાગણ સુદ પૂનમ" ના દિવસ દરમિયાન વિશાળ મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો આવી દર્શન કરે છે.

હાલનું મંદિર 18મી સદીમાં વડોદરાના ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા બનાવાયું હતું. વિશાળ ગોમતી તળાવ પણ મંદિરની નજીક આવેલું છે, જે તીર્થ તરીકે માનવામાં આવે છે.અહીં દર વર્ષે "ફાગણ સુદ પૂનમ" ના દિવસ દરમિયાન વિશાળ મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો આવી દર્શન કરે છે.

8 / 8
અહી માન્યતા છે કે, ચારધામની યાત્રા કર્યા પછી ડાકોરના દર્શન ના કરો તો યાત્રા અધૂરી રહે તેવુ અનુમાન છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

અહી માન્યતા છે કે, ચારધામની યાત્રા કર્યા પછી ડાકોરના દર્શન ના કરો તો યાત્રા અધૂરી રહે તેવુ અનુમાન છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)