Cholesterol : શું પાતળા લોકોનું પણ કોલેસ્ટ્રોલ વધી શકે? તમે નહીં જાણતા હોવ આ વાત 

આજકાલ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો માને છે કે કોલેસ્ટ્રોલ ફક્ત વધારે વજન ધરાવતા લોકોમાં જ થાય છે અને જો વ્યક્તિ પાતળી હોય તો તેને કોલેસ્ટ્રોલની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. 

| Updated on: Mar 06, 2026 | 9:58 PM
1 / 7
કોલેસ્ટ્રોલ શરીરમાં જોવા મળતી એક પ્રકારની ચરબી છે, જે કોષોના નિર્માણ અને કેટલાક જરૂરી હોર્મોનના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે શરીરમાં તેનું પ્રમાણ વધારે થઈ જાય છે ત્યારે હૃદય અને રક્તવાહિનીઓ સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે. તેથી માત્ર વજન ઓછું હોવું એટલે કોલેસ્ટ્રોલનું જોખમ નથી એવું માનવું યોગ્ય નથી.

કોલેસ્ટ્રોલ શરીરમાં જોવા મળતી એક પ્રકારની ચરબી છે, જે કોષોના નિર્માણ અને કેટલાક જરૂરી હોર્મોનના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે શરીરમાં તેનું પ્રમાણ વધારે થઈ જાય છે ત્યારે હૃદય અને રક્તવાહિનીઓ સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે. તેથી માત્ર વજન ઓછું હોવું એટલે કોલેસ્ટ્રોલનું જોખમ નથી એવું માનવું યોગ્ય નથી.

2 / 7
આ બાબતે આરએમએલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડિરેક્ટર પ્રોફેસર ડૉ. સુભાષ ગિરી જણાવે છે કે પાતળા અથવા સામાન્ય વજન ધરાવતા લોકોમાં પણ કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. ઘણા લોકો માનતા હોય છે કે કોલેસ્ટ્રોલની સમસ્યા ફક્ત મેદસ્વી લોકોમાં જ થાય છે, પરંતુ ખરેખર ખરાબ આહાર અને બિનસક્રિય જીવનશૈલી કોઈપણ વ્યક્તિમાં કોલેસ્ટ્રોલ વધારવાનું કારણ બની શકે છે. તળેલા ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ, મીઠાઈઓનું વધુ સેવન અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ કોલેસ્ટ્રોલ વધારવાનો મુખ્ય કારણ બની શકે છે.

આ બાબતે આરએમએલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડિરેક્ટર પ્રોફેસર ડૉ. સુભાષ ગિરી જણાવે છે કે પાતળા અથવા સામાન્ય વજન ધરાવતા લોકોમાં પણ કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. ઘણા લોકો માનતા હોય છે કે કોલેસ્ટ્રોલની સમસ્યા ફક્ત મેદસ્વી લોકોમાં જ થાય છે, પરંતુ ખરેખર ખરાબ આહાર અને બિનસક્રિય જીવનશૈલી કોઈપણ વ્યક્તિમાં કોલેસ્ટ્રોલ વધારવાનું કારણ બની શકે છે. તળેલા ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ, મીઠાઈઓનું વધુ સેવન અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ કોલેસ્ટ્રોલ વધારવાનો મુખ્ય કારણ બની શકે છે.

3 / 7
આ સિવાય આનુવંશિક પરિબળો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જો પરિવારમાં કોઈને કોલેસ્ટ્રોલ વધારે હોવાનો ઇતિહાસ હોય, તો પાતળા લોકોમાં પણ તેનો જોખમ વધી શકે છે. કેટલાક લોકોમાં શરીરની ચયાપચય પ્રક્રિયા અથવા ચરબી સંભાળવાની રીત અલગ હોઈ શકે છે, જેના કારણે સામાન્ય વજન હોવા છતાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે. તેથી માત્ર શરીરના વજનને આધારે કોલેસ્ટ્રોલનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. નિયમિત આરોગ્ય તપાસ અને સ્વસ્થ જીવનશૈલી ખૂબ જરૂરી છે.

આ સિવાય આનુવંશિક પરિબળો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જો પરિવારમાં કોઈને કોલેસ્ટ્રોલ વધારે હોવાનો ઇતિહાસ હોય, તો પાતળા લોકોમાં પણ તેનો જોખમ વધી શકે છે. કેટલાક લોકોમાં શરીરની ચયાપચય પ્રક્રિયા અથવા ચરબી સંભાળવાની રીત અલગ હોઈ શકે છે, જેના કારણે સામાન્ય વજન હોવા છતાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે. તેથી માત્ર શરીરના વજનને આધારે કોલેસ્ટ્રોલનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. નિયમિત આરોગ્ય તપાસ અને સ્વસ્થ જીવનશૈલી ખૂબ જરૂરી છે.

4 / 7
ઉચ્ચ કોલેસ્ટ્રોલના પ્રારંભિક તબક્કામાં ઘણીવાર કોઈ સ્પષ્ટ લક્ષણો જોવા મળતા નથી. તેથી ઘણા લોકો લાંબા સમય સુધી આ સમસ્યા વિશે અજાણ રહે છે. જો કે, કોલેસ્ટ્રોલ વધારે થઈ જાય ત્યારે તેની અસર શરીર પર દેખાઈ શકે છે. કેટલાક લોકોને છાતીમાં દુખાવો, થાક, અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

ઉચ્ચ કોલેસ્ટ્રોલના પ્રારંભિક તબક્કામાં ઘણીવાર કોઈ સ્પષ્ટ લક્ષણો જોવા મળતા નથી. તેથી ઘણા લોકો લાંબા સમય સુધી આ સમસ્યા વિશે અજાણ રહે છે. જો કે, કોલેસ્ટ્રોલ વધારે થઈ જાય ત્યારે તેની અસર શરીર પર દેખાઈ શકે છે. કેટલાક લોકોને છાતીમાં દુખાવો, થાક, અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

5 / 7
કેટલાક કિસ્સાઓમાં પગમાં દુખાવો અથવા ભારેપણું પણ અનુભવાઈ શકે છે. જોકે આ લક્ષણો અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. તેથી ચોક્કસ માહિતી માટે સમયાંતરે આરોગ્ય તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. નિયમિત તપાસથી કોલેસ્ટ્રોલનું સ્તર જાણી શકાય છે અને સમયસર સારવાર શક્ય બને છે.

કેટલાક કિસ્સાઓમાં પગમાં દુખાવો અથવા ભારેપણું પણ અનુભવાઈ શકે છે. જોકે આ લક્ષણો અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. તેથી ચોક્કસ માહિતી માટે સમયાંતરે આરોગ્ય તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. નિયમિત તપાસથી કોલેસ્ટ્રોલનું સ્તર જાણી શકાય છે અને સમયસર સારવાર શક્ય બને છે.

6 / 7
કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રાખવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી ખૂબ જરૂરી છે. રોજિંદા આહારમાં તાજા ફળો, શાકભાજી, આખા અનાજ અને ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરવો લાભદાયક છે. સાથે સાથે તળેલા અને પ્રોસેસ્ડ ખોરાકનું સેવન ઓછું કરવું જોઈએ.

કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રાખવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી ખૂબ જરૂરી છે. રોજિંદા આહારમાં તાજા ફળો, શાકભાજી, આખા અનાજ અને ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરવો લાભદાયક છે. સાથે સાથે તળેલા અને પ્રોસેસ્ડ ખોરાકનું સેવન ઓછું કરવું જોઈએ.

7 / 7
નિયમિત કસરત અને શારીરિક પ્રવૃત્તિ શરીરને સક્રિય રાખવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. જો વજન સામાન્ય હોય તો પણ સ્વસ્થ જીવનશૈલી જાળવવી એટલી જ જરૂરી છે. ધૂમ્રપાન અને વધુ પડતા દારૂના સેવનથી દૂર રહેવું પણ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આ ઉપરાંત સમયાંતરે કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી હૃદયના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. (નોંધ : અહીં આપમાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)

નિયમિત કસરત અને શારીરિક પ્રવૃત્તિ શરીરને સક્રિય રાખવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. જો વજન સામાન્ય હોય તો પણ સ્વસ્થ જીવનશૈલી જાળવવી એટલી જ જરૂરી છે. ધૂમ્રપાન અને વધુ પડતા દારૂના સેવનથી દૂર રહેવું પણ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આ ઉપરાંત સમયાંતરે કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી હૃદયના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. (નોંધ : અહીં આપમાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)