રસોઈ તેલ અસલી છે કે નકલી ? જાણો નકલી કુકિંગ ઓઈલથી થતા ગંભીર નુકસાન અને તે પારખવાની રીત

ખાધ્યતેલના વધતા ભાવ વચ્ચે બજારમાં ખૂબ જ ઓછી કિંમતે મળતી તેલની ઓફર્સે ભેળસેળ કે ખરાબ ક્વોલિટીની ચિંતા વધારી દીધી છે. ટૂંકમાં, બજાર કિંમત કરતા ઘણી ઓછી કિંમતે મળતું તેલ ભેળસેળિયું અથવા હલકી ગુણવત્તાનું હોઈ શકે છે.

| Updated on: Feb 27, 2026 | 7:07 PM
1 / 9
ખાધ્યતેલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાથી લોકોમાં ફાળ પડી છે, કારણ કે તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડે છે. ખાધ્યતેલ એ રોજ રસોઈ માટે વપરાતી એક અનિવાર્ય વસ્તુ છે. ભાવ વધારા પાછળના મુખ્ય કારણોમાં પાકનું નબળું ઉત્પાદન, પુરવઠાની અછત, આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી કિંમતો અને આયાતી તેલ પર વધેલા ટેક્સને જવાબદાર માનવામાં આવે છે.

ખાધ્યતેલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાથી લોકોમાં ફાળ પડી છે, કારણ કે તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડે છે. ખાધ્યતેલ એ રોજ રસોઈ માટે વપરાતી એક અનિવાર્ય વસ્તુ છે. ભાવ વધારા પાછળના મુખ્ય કારણોમાં પાકનું નબળું ઉત્પાદન, પુરવઠાની અછત, આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી કિંમતો અને આયાતી તેલ પર વધેલા ટેક્સને જવાબદાર માનવામાં આવે છે.

2 / 9
નિષ્ણાતોનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં અછત તેમજ અનિશ્ચિતતાને કારણે તેલના ભાવ વધી રહ્યા છે. આથી, બજાર કિંમત કરતા ઘણી ઓછી કિંમતે મળતું તેલ ભેળસેળિયું અથવા હલકી ગુણવત્તાનું હોઈ શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં અછત તેમજ અનિશ્ચિતતાને કારણે તેલના ભાવ વધી રહ્યા છે. આથી, બજાર કિંમત કરતા ઘણી ઓછી કિંમતે મળતું તેલ ભેળસેળિયું અથવા હલકી ગુણવત્તાનું હોઈ શકે છે.

3 / 9
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કુકિંગ ઓઈલમાં મુખ્યત્વે ટ્રાઈગ્લિસરાઈડ્સ હોય છે, જે વનસ્પતિજન્ય સ્ત્રોતો (શાકભાજી અથવા બીજ) માંથી પ્રાપ્ત થાય છે. આ તેલને ખાવાલાયક અને શુદ્ધ બનાવવા માટે તેમાંથી ગંદકી અને દુર્ગંધ દૂર કરવા માટે તેને 'રિફાઈનિંગ અથવા પ્યુરિફિકેશન પ્રોસેસ' (જેમ કે ડીગમિંગ, ન્યુટ્રલાઈઝેશન, બ્લીચિંગ અને ડિઓડોરાઈઝેશન) માંથી પસાર કરવામાં આવે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કુકિંગ ઓઈલમાં મુખ્યત્વે ટ્રાઈગ્લિસરાઈડ્સ હોય છે, જે વનસ્પતિજન્ય સ્ત્રોતો (શાકભાજી અથવા બીજ) માંથી પ્રાપ્ત થાય છે. આ તેલને ખાવાલાયક અને શુદ્ધ બનાવવા માટે તેમાંથી ગંદકી અને દુર્ગંધ દૂર કરવા માટે તેને 'રિફાઈનિંગ અથવા પ્યુરિફિકેશન પ્રોસેસ' (જેમ કે ડીગમિંગ, ન્યુટ્રલાઈઝેશન, બ્લીચિંગ અને ડિઓડોરાઈઝેશન) માંથી પસાર કરવામાં આવે છે.

4 / 9
કુકિંગ ઓઈલ અસલી છે કે નકલી? આ ચકાસવાની એક રીત તેનો 'રંગ' છે. અસલી કુકિંગ ઓઈલનો રંગ પીળો અથવા આછો પીળો હોય છે. જો તેનાથી અલગ રંગ દેખાય અથવા ઘાટો રંગ જોવા મળે, તો તેને અસામાન્ય ગણી શકાય અથવા તો તે નકલી કુકિંગ ઓઈલ હોઈ શકે છે.

કુકિંગ ઓઈલ અસલી છે કે નકલી? આ ચકાસવાની એક રીત તેનો 'રંગ' છે. અસલી કુકિંગ ઓઈલનો રંગ પીળો અથવા આછો પીળો હોય છે. જો તેનાથી અલગ રંગ દેખાય અથવા ઘાટો રંગ જોવા મળે, તો તેને અસામાન્ય ગણી શકાય અથવા તો તે નકલી કુકિંગ ઓઈલ હોઈ શકે છે.

5 / 9
નિષ્ણાતોનું કહેવું છે કે, કુકિંગ ઓઈલની અસલિયત તપાસવા માટે ગંધની ઓળખનો પણ ઉપયોગ કરી શકાય છે. કુકિંગ ઓઈલમાં એક ખાસ ગંધ હોઈ શકે છે, જેમ કે નાળિયેરની ગંધ અથવા તે ગંધરહિત પણ હોઈ શકે છે. જો કોઈ ચોક્કસ ગંધ હોય અથવા કોઈ ગંધ ન હોય, તો તેલને નોર્મલ માનવામાં આવે છે. જો તેલમાંથી તીવ્ર, કેમિકલ જેવી અથવા ખરાબ દુર્ગંધ આવતી હોય, તો તે ભેળસેળનો સંકેત હોઈ શકે છે, જેને નિષ્ણાતો પારખી શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, કુકિંગ ઓઈલની અસલિયત તપાસવા માટે ગંધની ઓળખનો પણ ઉપયોગ કરી શકાય છે. કુકિંગ ઓઈલમાં એક ખાસ ગંધ હોઈ શકે છે, જેમ કે નાળિયેરની ગંધ અથવા તે ગંધરહિત પણ હોઈ શકે છે. જો કોઈ ચોક્કસ ગંધ હોય અથવા કોઈ ગંધ ન હોય, તો તેલને નોર્મલ માનવામાં આવે છે. જો તેલમાંથી તીવ્ર, કેમિકલ જેવી અથવા ખરાબ દુર્ગંધ આવતી હોય, તો તે ભેળસેળનો સંકેત હોઈ શકે છે, જેને નિષ્ણાતો પારખી શકે છે.

6 / 9
નિષ્ણાતોનું કહેવું છે કે, જો રસોઈના તેલમાંથી વાસી, માછલી જેવી કે અજીબ દુર્ગંધ આવતી હોય, તો તે નકલી, ભેળસેળિયા, જૂના અથવા વાપરેલા તેલનો સંકેત હોઈ શકે છે. આ ગંધ તેલના ઓક્સિડેશન અથવા વાસી થવાને કારણે આવે છે. આ સામાન્ય રીતે ત્યારે થાય છે, જ્યારે તેલ બગડી જાય અથવા તો તેને વારંવાર ગરમ કરવામાં આવે.

નિષ્ણાતોનું કહેવું છે કે, જો રસોઈના તેલમાંથી વાસી, માછલી જેવી કે અજીબ દુર્ગંધ આવતી હોય, તો તે નકલી, ભેળસેળિયા, જૂના અથવા વાપરેલા તેલનો સંકેત હોઈ શકે છે. આ ગંધ તેલના ઓક્સિડેશન અથવા વાસી થવાને કારણે આવે છે. આ સામાન્ય રીતે ત્યારે થાય છે, જ્યારે તેલ બગડી જાય અથવા તો તેને વારંવાર ગરમ કરવામાં આવે.

7 / 9
કુકિંગ ઓઈલ અસલી છે કે નહીં? આ જાણવાની બીજી રીત તેનો 'દેખાવ કે ટેક્સચર' જોવાની છે. અસલી કુકિંગ ઓઈલ સામાન્ય રીતે પ્રવાહી અને ટેક્સચરમાં પાતળું હોય છે, જ્યારે નકલી કુકિંગ ઓઈલ સામાન્ય રીતે ટેક્સચરમાં ઘટ્ટ હોય છે. આવું એટલા માટે, કારણ કે નકલી તેલ વપરાયેલા તેલમાંથી બનાવવામાં આવે છે. એવામાં શક્ય છે કે, તેનો વારંવાર તળવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય.

કુકિંગ ઓઈલ અસલી છે કે નહીં? આ જાણવાની બીજી રીત તેનો 'દેખાવ કે ટેક્સચર' જોવાની છે. અસલી કુકિંગ ઓઈલ સામાન્ય રીતે પ્રવાહી અને ટેક્સચરમાં પાતળું હોય છે, જ્યારે નકલી કુકિંગ ઓઈલ સામાન્ય રીતે ટેક્સચરમાં ઘટ્ટ હોય છે. આવું એટલા માટે, કારણ કે નકલી તેલ વપરાયેલા તેલમાંથી બનાવવામાં આવે છે. એવામાં શક્ય છે કે, તેનો વારંવાર તળવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય.

8 / 9
નકલી કે ભેળસેળિયા તેલમાં તેની ઘટ્ટતા વધારવા માટે ચરબી (ફેટ) અથવા લોટ જેવા એડિટિવ્સ હોઈ શકે છે. આ પ્રકારનું ભેળસેળિયું તેલ અસલી રિફાઈન્ડ કે તાજા તેલની સરખામણીમાં વધુ ચીકણું અને ઘટ્ટ દેખાય છે, કારણ કે 'એડિટિવ્સ' તેને ઘટ્ટ બનાવી દે છે. આનાથી તેલનું ટેક્સચર એવું ઘટ્ટ થઈ જાય છે કે, જે સામાન્ય રીતે તાજા તળેલા ખોરાકમાં જોવા મળતું નથી.

નકલી કે ભેળસેળિયા તેલમાં તેની ઘટ્ટતા વધારવા માટે ચરબી (ફેટ) અથવા લોટ જેવા એડિટિવ્સ હોઈ શકે છે. આ પ્રકારનું ભેળસેળિયું તેલ અસલી રિફાઈન્ડ કે તાજા તેલની સરખામણીમાં વધુ ચીકણું અને ઘટ્ટ દેખાય છે, કારણ કે 'એડિટિવ્સ' તેને ઘટ્ટ બનાવી દે છે. આનાથી તેલનું ટેક્સચર એવું ઘટ્ટ થઈ જાય છે કે, જે સામાન્ય રીતે તાજા તળેલા ખોરાકમાં જોવા મળતું નથી.

9 / 9
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, નકલી કુકિંગ ઓઈલ વાપરવાના જોખમોને જોતા, તે અસલી હોય તેની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આનાથી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. એવામાં જ્યારે નકલી કુકિંગ ઓઈલનો ઉપયોગ કરીને ફૂડ બનાવવામાં આવે છે, ત્યારે તે 'ફ્રી રેડિકલ્સ'ને સક્રિય કરે છે, જે શરીરમાં કોષો અને પેશીઓને (cells and tissues) નુકસાન પહોંચાડી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, નકલી કુકિંગ ઓઈલ વાપરવાના જોખમોને જોતા, તે અસલી હોય તેની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આનાથી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. એવામાં જ્યારે નકલી કુકિંગ ઓઈલનો ઉપયોગ કરીને ફૂડ બનાવવામાં આવે છે, ત્યારે તે 'ફ્રી રેડિકલ્સ'ને સક્રિય કરે છે, જે શરીરમાં કોષો અને પેશીઓને (cells and tissues) નુકસાન પહોંચાડી શકે છે.