
રેજિસ્ટેંસ સ્ટાર્ચ શું છે? : Web MDના અહેવાલ મુજબ રેજિસ્ટેંસ સ્ટાર્ચ એક પ્રકારનું પોષક તત્વ છે જે તમારા શરીરના પાચન, વજન ઘટાડવા, રોગ નિવારણ અને અન્ય કાર્યો માટે મદદરૂપ છે. તે તંદુરસ્ત લાઈફસ્ટાઈલનો ભાગ હોઈ શકે છે - જેમાં હેલ્ધી ડાયટ, કસરત અને ઊંઘનો સમાવેશ થાય છે.

વાસી રોટલી કોણે ખાવી જોઈએ? : જે લોકો ડાયાબિટીસથી પીડિત છે, તેમણે તેમના આહારમાં વાસી રોટલીનો સમાવેશ કરવો જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ માટે રેજિસ્ટેંસ સ્ટાર્ચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ શરીરમાં ઇન્સ્યુલિન સ્પાઇકને મંજૂરી આપતું નથી.

પેટની સમસ્યા : જે લોકોને પેટની સમસ્યા હોય તેમણે પણ વાસી રોટલી ખાવી જોઈએ. આને ખાવાથી ગેસ, કબજિયાત અને બ્લોટિંગ જેવી સમસ્યા નથી થતી. આ ઉપરાંત તે પાચનક્રિયાને પણ સુધારે છે. (જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)