
નીલગિરી ચા : નીલગિરી ચા વાયુ પ્રદૂષણની આરોગ્ય અસરો સામે લડવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ હર્બલ ટી શ્વસનતંત્રના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ છે. નીલગિરીનું તેલ શ્વાસ સંબંધી સમસ્યાઓથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે. આ ચા બ્રોન્કાઇટિસ અને સામાન્ય શરદીના કિસ્સામાં પણ પી શકાય છે.

ફુદીના ચા : ફુદિના ચા માત્ર શ્વાસ સંબંધી સમસ્યાઓથી રાહત આપે છે, પરંતુ તે તમારા મૂડને સુધારવામાં પણ મદદરૂપ છે. ફુદીનાની ચા પીવાથી તાજગીનો અનુભવ થાય છે. આ ચા શ્વસનતંત્રના સ્નાયુઓને આરામ આપે છે. જેના કારણે શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી નથી.