
દરરોજ પાઠ કરવાથી શ્રીરામ અને હનુમાનજી પ્રત્યે ભક્તિ મજબૂત થાય છે. ભક્તિથી જીવનમાં શાંતિ, સંતોષ અને સાચી સફળતા મળે છે. (Credits: - Canva)

ઘરમાં ચાલીસાનું પઠન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સ્થાન પવિત્ર બને છે. ઘરમાં શાંતિનો વાતાવરણ છવાય છે. (Credits: - Canva)

"શ્રી હનુમાન ચાલીસા"માં કહેવામાં આવ્યું છે. "સંકટથી હનુમાન છુડાવૈ, મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ" અર્થાત્, જે કોઈ મનથી, કરમથી અને વાણીથી હનુમાનજીનું સ્મરણ કરે છે, તેના કાર્યોમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે. (Credits: - Canva)

" બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર । બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર " અનુસાર, હનુમાનજી પાસેથી આપણે બુદ્ધિ અને જ્ઞાન માગીએ છીએ. બાળકો માટે પણ ચાલીસાનો પાઠ અત્યંત લાભદાયક છે. (Credits: - Canva)

દરરોજ ચાલીસાનો પાઠ કરવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને જીવનમાં શુભ કર્યોમાં સફળતા મળે છે. ( Credits: Getty Images )

પ્રત્યેક દિવસ 10-15 મિનિટ ચાલીસાનો પાઠ કરવો તમારા ધ્યાન અને આધ્યાત્મિક માર્ગમાં ખૂબ મદદરૂપ બની શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )
Published On - 7:08 pm, Fri, 11 April 25