
ડોક્ટર જણાવે છે કે, પ્રેગ્નન્સીમાં હોર્મોનલ ફેરફારને કારણે કબજીયાતની સમસ્યા થઈ શકે છે. આ સિવાય તમારા આહારમાં અનિયમિતતાઅને ઓછા ફાઈબર વાળા આહાર લેવાથી આ સમસ્યા થાય છે.વધતો ગર્ભ આંતરડા પર દબાણ લાવે છે, જેના કારણે મળ શરીરમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી થઈ જાય છે.

કેટલીક વખત શરીરમાં આયરનની માત્રા વધવાથી પણ કબજીયાતની પણ સમસ્યાથઈ શકે છે. શરીરમાં પાણીની કમી થવાથી પણ કબજીયાતની સમસ્યા થાય છે. પ્રેગ્નન્સીમાં કબજીયાતની સમસ્યા ન થાય તે માટે ડોક્ટર કેટલાક ઉપાયો બતાવે છે.તેને અનુસરવા જરુરી છે.

જો તમે પ્રેગ્નન્સી દરમિયાન કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો તમારા આહારમાં ફાઇબરયુક્ત ખોરાક વધારો. આ સાથે, પ્રવાહીનું પ્રમાણ પણ વધારો. દિવસભરમાં 8 થી 12 કપ પાણી પીવું જોઈએ.

તમારા ડૉક્ટરને પૂછ્યા વિના કબજિયાત રાહત માટે કોઈપણ દવાનો ઉપયોગ કરશો નહીં. ઘરેલું ઉપચાર અપનાવવાનું ટાળો. ડૉક્ટરની સલાહ વિના એરંડાનું તેલ ન લો, તે નુકસાન પહોંચાડી શકે છે. તમારા દિનચર્યામાં હળવી કસરતનો સમાવેશ કરો અને તમારા આહારનું ધ્યાન રાખો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)