
પ્રેગ્નન્સીમાં મહિલાઓની ઈમ્યુનિટી થોડી નબળી પડી જાય છે. જેનાથી વાયરસ શરીરને જલ્દી અસર કરે છે. થાક લાગવો, ડિહાઈડ્રેશન, શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.જો ઓક્સીજન લેવલ ઓછું હોય તો ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોચી શકે છે.

જો સમયસર કોરોનાની પુષ્ટિ થાય તો ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ, આરામ અને હેલ્ધી ખોરાક લેવાથી આ ભય ઘણી હદ સુધી ટાળી શકાય છે.જો તમારા પરિવારમાં કોઈને કોરોના થયો છે. તો તેનાથી સોશિયલ ડિસ્ટન્સ જરુર રાખો.

દિવસભર કોવિડ સંબંધિત સમાચાર જોવાનું ટાળો અને સગર્ભા સ્ત્રીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ડિજિટલ ડિટોક્સ પણ મહત્વપૂર્ણ છે.દરરોજ ધ્યાન કરો. દિવસમાં 10-15 મિનિટ ધ્યાન કરવાથી મન શાંત રહે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)