
ગર્ભાશયની બંને બાજુના ગોળાકાર અવયવોને અંડાશય કહેવામાં આવે છે. અંડાશય ગર્ભાશયનો એક ભાગ છે અને તેના વગર સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. આ અંડાશયમાં ફોલ્લો અથવા ગઠ્ઠો બની શકે છે. આ ગઠ્ઠો પ્રવાહીથી ભરેલો હોય છે જે ગર્ભાશયને લગતી ઘણી અન્ય સમસ્યાઓનું કારણ બને છે.

આજના સમયમાં કેટલીક મહિલાઓને ગર્ભાશયમાં ગાંઠ થવાની સમસ્યાથી પરેશાન હોય છે.જેના કારણે મહિલાઓ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ આ સમસ્યા થવાના ઘણા કારણો હોઈ શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે, ફાઇબ્રોઇડ્સ એક પ્રકારનો ગાંઠ છે, જે કેન્સર વિનાનો વિકાસ છે.

આ ગાંઠ ધીમે ધીમે વધે છે.મોટાભાગની મહિલાઓ સ્થૂળતાની સમસ્યાથી પરેશાન હોય છે. ત્યારે શરીરમાં વધારે ફેટ હોવાના કારણે શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન્સ વધવા લાગે છે. જેના કારણે મહિલાઓને ફાઈબ્રોયડ્સની સમસ્યા થઈ શકે છે.

કેટલીક વખત મહિલાઓને ગર્ભાશયમાં ફાઈબ્રોયડ્સની સમસ્યા જેનેટિક્સના કારણે પણ થઈ શકે છે. આ સમસ્યા પરિવારમાં બહેન કે માતાને હોય તો તે કારણ બની શકે છે. મહિલાઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલ અને સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવાના કારણે મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેટેરોન જેવા હોર્મોન્સને અસંતુલિત થવાની સમસ્યા થવા લાગે છે. જેના કારણે ફાઇબ્રોઇડ્સની સમસ્યા એક સામાન્ય કારણ છે.

આજકાલની અનહેલ્ધી લાઈફસ્ટાઈલ ,ફિઝિકલ એક્ટિવિટી ન કરવી તેમજ વધારે સ્ટ્રેસમાં રહેવાના કારણે મહિલાઓના શરીરમાં કોર્ટિસોલ હોર્મોન્સ કે અન્ય હોર્મોન્સ અસંતુલિત થવાની સમસ્યા થાય છે. સાથે મેટાબોલિઝ્મ સ્લો થવાની સમસ્યા થાય છે. આ કારણે ફાઈબ્રોડ્સની સમસ્યા કે તેની સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પ્રગ્નેન્સીમાં વિલંબ થવાથી અથવા પ્રેગ્નેન્સી ન થવાથી સ્ત્રીઓને ફાઇબ્રોઇડ્સ વધવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. જો પ્રેગ્નેન્સીમાં વિલંબ થાય છે તો મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

જ્યારે અંડાશય અથવા ગર્ભાશયમાં ગાંઠ થાય છે, ત્યારે શરીરના નીચેના ભાગમાં દુખાવો થાય છે. આના કારણે સોજો પણ જોવા મળે છે. ખાસ કરીને પેટની નજીક સોજો અને દુખાવાની ફરિયાદ રહે છે. પેલ્વિસની નજીકના વિસ્તારમાં અતિશય દુખાવો પણ અંડાશયમાં ગાંઠના કારણે થઈ શકે છે.જો તમને પણ અંડાશયના કોથળીઓના લક્ષણો દેખાવા લાગે અથવા અનુભવાય, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)