
જો કોઈને ડાયાબિટીસ છે અને તેનું શુગર લેવલ ખુબ વધારે છે. તો યુરિનમાંથી દુર્ગંધ આવી શકે છે. કેટલાક કિસ્સામાં આ કેટોએસિડોસિસના લક્ષણો હોય શકે છે. જે ગંભીર સ્થિતિ બની શકે છે.

જો તમને યુરિનમાંથી વધારે દુર્ગંધ આવી રહી છે તો આ લિવર કે કિડનીમાં ગડબડનો સંકેત હોઇ શકે છે. ખાસ કરીને જ્યારે યુરિનનો રંગ ઘટ્ટ, કે પછી યુરિનમાં લોહી નીકળે છે. તો જલ્દી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

ચોક્કસ એન્ટિબાયોટિક્સ, વિટામિન સપ્લિમેન્ટ્સ (ખાસ કરીને બી-કોમ્પ્લેક્સ) અને તબીબી ઉપચાર લીધા પછી યુરિનની ગંધ બદલાઈ શકે છે. આ ફેરફારો સામાન્ય રીતે થોડા દિવસોમાં દૂર થઈ જાય છે, પરંતુ જો ગંધ લાંબા સમય સુધી ચાલુ રહે, તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

ક્યારેક પેશાબમાં દુર્ગંધ આવવાથી જાતીય રોગો (જેમ કે ક્લેમીડિયા, ગોનોરિયા) પણ થઈ શકે છે. આ સ્થિતિમાં, યોનિમાંથી સ્રાવ, બળતરા, ખંજવાળ જેવા અન્ય લક્ષણો પણ જોવા મળી શકે છે.

હવે આપણે યુરિનમાંથી આવતી દુર્ગંધના ઘરેલું ઉપાય અને સારવાર વિશે વાત કરીએ તો દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીઓ. સાફ-સફાઈનું ધ્યાન રાખો ખાસ કરીને પ્રાઈવેટ પાર્ટનું. જો આ લક્ષણો જોવા મળે તો યુરિન ટેસ્ટ જરુર કરાવો.

નાળિયેર પાણી અને લીંબુ પાણી જેવા ડિટોક્સ પીવો.ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી એન્ટિબાયોટિક્સ સમયસર લો, ડોક્ટરને પુછ્યા વગર જાતે દવા ન લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)