
મેનોપોઝ દરમિયાન મહિલાઓને ઊંઘ પુરતી ન થવાથી તણાવનો સામનો કરવો પડે છે. જેના માટે મેન્ટલ હેલ્થને બુસ્ટ કરવા માટે 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. જેનાથી ગુસ્સાની સમસ્યા દુર થાય છે. આ સાથે આખો દિવસ એક્ટિવ રહેવાથી શરીરમાં હેપ્પી હોર્મોન પણ રિલીઝ થાય છે.

તેમજ સવાર અને સાંજ મેડિટેશન અને કસરત કરવી જોઈએ. જેનાથી મેન્ટલ અને ઈમોશનલ હેલ્થને બુસ્ટ કરી શકાય છે. 30 મિનિટ કસરત કરવાથી શરીરમાં એનર્જીનું સ્તર પણ વધવા લાગે છે.એકલાપણું, ચિંતા,મેનોપોઝલ ડિપ્રેશન અને તણાવનું કારણ બનવા લાગે છે. આ સમયે તમારા મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરો બહાર ફરવાનો પ્લાન બનાવો.

દિવસભર ઓફિસ અને ઘરની જવાબદારીઓ નિભાવવા ઉપરાંત, તમારા માટે સમય કાઢો અને તમારું મનપસંદ કામ કરો. ચિત્રકામ હોય, સંગીત હોય કે રસોઈ, તમારી પસંદગીની પ્રવૃતિ કરો.આનાથી તમે તણાવથી બચી શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.જો મેનોપોઝ દરમિયાન સમસ્યા ગંભીર હોય તો ડૉક્ટરની સલાહ લો.