
તેની ઈમ્યુનિટી પર ખરાબ અસર પડે છે. તો સવાલ એ ઉભો થાય છે કે, શું ખરેખર મેનોપોઝ અચાનક શરુ થઈ જાય છે કે પછી ધીમે ધીમે?આના વિશે આપણે વિસ્તારથી ડોક્ટર પાસેથી માહિતી જાણીએ.

મેનોપોઝના લક્ષણોની જો આપણે વાત કરીએ તો, પીરિયડ સાઈકલમાં ફેરફાર,હેવી કે પછી ઓછું બ્લીડિગ થવું, રાત્રે ઊંઘ ન આવવી, વારંવાર મૂડ સ્વિંગ થવું. યોનિમાં ડ્રાઈનેસ, વજન વધવો, માઈગ્રેન,માથાના દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે.

મેનોપોઝ એક પ્રક્રિયા છે. તેના અનેક તબક્કા હોય છે, જેમ કે પેરીમેનોપોઝ, મેનોપોઝ અને પોસ્ટમેનોપોઝ. કેટલીક મહિલાઓમાં, પેરીમેનોપોઝનો તબક્કો વર્ષો સુધી ચાલે છે. આનો અર્થ એ થાય કે ક્યારેક પીરિયડ દરમિયાન વધારે બ્લીડિંગ થાય છે, ક્યારેક ઓછું બ્લીડિંગ થાય છે અને ક્યારેક મહિનાઓ સુધી બ્લીડિંગ થતું નથી. જ્યારે સ્ત્રીઓ પેરીમેનોપોઝ પાર કરે છે, ત્યારે તેઓ મેનોપોઝનો અનુભવ કરે છે.

નિષ્ણાતોના મતે, જ્યારે કોઈ મહિલાને સતત 12 મહિના સુધી પીરિયડસ ન આવે, ત્યારે તેને મેનોપોઝ માનવામાં આવે છે. આ પછી મહિલાઓ પોસ્ટમેનોપોઝ તબક્કામાં પહોંચે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)