
મિસકરેજ બાદ પ્રેગ્નેન્સીનો પ્લાન કરી રહ્યા છો તો પતિ-પત્નીને કેટલાક જરુરી ટેસ્ટ કરાવવા જોઈએ, પતિ-પત્ની બંન્નેના એગની ક્વોલિટીની તપાસ કરવી જોઈએ. આ સિવાય પતિ -પત્ની થાઈરોડ, બ્લડ શુગર, આરએચ ફેક્ટર, એચઆઈવી,સીબીસી વગેરે ટેસ્ટ કરાવવા જોઈએ.

પ્રેગ્નેન્ટ સ્ત્રીઓને ચાઇનીઝ ફુડ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આનું મુખ્ય કારણ અજીનોમોટો છે. અજીનોમોટોમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે અને પ્રેગ્નેન્સી દરમિયાન સોડિયમનું સેવન ઓછું કરવું પડે છે. વધુ પડતું ખાવાથી પેટનું ફૂલવું અને અસ્વસ્થતા થાય છે. તે બાળકના મગજ પર પણ અસર કરે છે.

જો તમે પ્રેગ્નેન્સી પ્લાન કરી રહ્યા છો તમારે જંક ફુડથી દુર રહેવું જોઈએ, લોકો સ્ટ્રીટ ફુડને અવોઈડ કરતા નથી. પરતુ વધારે ચાઈનીઝ સ્ટ્રીટ ફુડમાં અજીનોમોટો મેળવવામાં આવે છે. જેનાથી મિસકરેજનો ખતરો વધી જાય છે.જંકફુડથી તમારું વજન વધી જાય છે. મિસકેરેજ બાદ ફરી બેબી પ્લાન કરવામાં થોડી પરેશાની આવી શકે છે.

જો તમે પણ મિસકરેજ બાદ પ્રેગ્નેન્સીનો પ્લાન કરી રહ્યા છો.તો તમારે આ બધી વાતનું ધ્યાન રાખવું જરુરી છે.મિસકરેજ બાદ ડોક્ટર અંદાજે 3 મહિના સુધી શારીરિક સંબંધ ન બાંધવાની સલાહ આપે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)