
ડોક્ટર જણાવે છે કે, હાઈપોથાઈરોડિઝમ જે અંડરએક્ટિવ થાઈરોડ માનવામાં આવે છે. જેમાં મહિલાઓનું વજન વધવું, વાળ ખરવા, થાક લાગવો, ડ્રાય સ્કિન તેમજ અનિયમિત પીરિયડ્સ જેવા પ્રોબ્લેમ આવી શકે છે.

આ થાઇરોઇડ ધરાવતી મહલાઓમાં વંધ્યત્વ પણ એક સામાન્ય સમસ્યા છે. એટલા માટે તે કહે છે કે, જો કોઈ સ્ત્રી ગર્ભવતી ન થઈ શકે, તો તેણે ચોક્કસપણે એક વાર થાઇરોઇડનું પરીક્ષણ કરાવવું જોઈએ.

હાઈપરથાઈરોડિઝમ્ જે થાઈરોડનો બીજો પ્રકાર છે. જેમાં મહિલાઓમાં પ્રજનનની સમસ્યા થાય છે. ડોક્ટરનું કહેવું છે કે, જો કોઈ મહિલા આ થાઈરોડ માટે દવાનું સેવન કરે છે. તો તેમણે પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે, તેની દવા ગર્ભમાં રહેલા બાળક પર નકારાત્મક પ્રભાવ નાંખી શકે છે.

સાથે ડૉક્ટર કહે છે કે, હાઇપરથાઇરોઇડિઝમથી પીડિત મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન એન્ડોક્રિનોલોજિસ્ટ દ્વારા પોતાની તપાસ કરાવતા રહેવું જોઈએ.

ડૉ. કહે છે કે, થાઇરોઇડ થી પીડિત મહિલાઓ પ્રેગ્નન્સીનો પ્લાન કરી શકે છે પરંતુ તેમણે કેટલીક સાવચેતીઓનું પાલન કરવાની જરૂર છે. સૌ પ્રથમ, તેમણે તેમના થાઇરોઇડને નિયંત્રિત કરવું પડશે. આ માટે શ્રેષ્ઠ સૂચન એ છે કે તમારે સમયાંતરે તમારી થાઇરોઇડ સ્ક્રીનીંગ કરાવવી જોઈએ અને યોગ્ય લાઈફસ્ટાઈલનું પાલન કરતા રહેવું જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)