
કેટલીક વખત જ્યારે પેશાબમાં બળતરા થાય છે. તે સમયે યુરિનનો રંગ પણ બદલાય જાય છે. જે ડિહાઈડ્રેશનનો સંકેત હોય છે. પાણીની ઉણપથી યૂરિન ઘટ્ટ બને છે, અને બળતરા વધે છે.

જે યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન (UTI) ને કારણે પણ થઈ શકે છે. આનાથી પેશાબ દરમિયાન બળતરા અને તીવ્ર બળતરા પણ થઈ શકે છે.આ સમયે ટાઈટ અંડરવિયર ન પહેરો. તેમજ વજાઈનાને સાફ રાખો. યુરિન પાસ કર્યા બાદ વજાઈનાને યોગ્ય રીતે સાફ કરો.

જ્યારે તમે યુરિનમાં બળતરા અનુભવો છે. ત્યારે મસાલેદાર ફુડ ખાવાનું બંધ કરો. તેમજ વજાઈનાને હૂંફાળા પાણીથી સાફ કરી શકો છો. જો તમને 1-2 દિવસ પછી પણ આ રીતે લાગે છે અને બળતરા ઓછી થતી નથી, તો ડૉક્ટરની સલાહ લો.

પ્રાઈવેટ પાર્ટ હંમેશા સાફ હોવો જોઈએ. પર્યાપ્ત માત્રમાં પાણી પીઓ. તેમજ સંતુલિત ડાયટ લો.તણાવ ઓછો કરો અને પૂરતી ઊંઘ લો, કારણ કે હોર્મોનલ અસંતુલન પણ ડિસ્ચાર્જ વધારી શકે છે. ( all photo:canva)