
ડૉના મતે, ઘણા રિપોર્ટ દર્શાવે છે કે 20 વર્ષની વયની સ્ત્રીઓમાં મિસકેરેજનું જોખમ 12% થી 15% હોય છે, અને 40 વર્ષની ઉંમર સુધીમાં આ જોખમ લગભગ 25% સુધી વધી જાય છે. જો તમારી પાસે પહેલાથી જ મિસકેરેજ થઈ ગયો હોય, તો બીજી કસુવાવડ થવાની શક્યતા 25% છે.

હવે આપણે મિસકેરેજના લક્ષણો જોઈએ તો. વધારે બ્લીડિંગ, ખેંચાણ અને પેટમાં દુખાવો,પીઠનો દુખાવો, જે હળવાથી ગંભીર સુધીનો હોઈ શકે છે,નાના લોહીના ગંઠાવા સાથે બ્લીડિંગ થવું.

મિસેકેરેજથી બચવાના અનેક ઉપાયો છે. જેમ કે, પ્રેગ્નન્સી પહેલા શરીરના રિપોર્ટ કરાવો. જેમ કે, થાયરોડ, શુગર ,હોર્મોન, ઈન્ફેક્શન ટેસ્ટ જરુર કરાવો. ફોલિક એસિડ, આયરન અને વિટામિન ડી જરુર માત્રામાં લો, તેમજ સ્ટ્રેસ ઓછો લો, ધ્રૂમપ્રાન, દારુ કે કેફિન દ્વવ્યોથી દુર રહો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)