
હવે આપણે પેરીટોનિયલના કેન્સરના લક્ષણો વિશે જાણીએ. પેરિટોનિયલ કેન્સરના ચેતવણી સંકેતો અને લક્ષણોના પ્રકાર અને કેન્સરના સ્ટેજ અનુસાર અલગ હોય છે. જે કેન્સરની સાથે સંબંધિત સમસ્યાઓમાંથી એક છે. પહેલા તબક્કામાં કોઈ સંકેત હોતો નથી. જે વ્યક્તિને ચેતવણી પણ આપે છે. પરંતુ કેટલાક કેસમાં લક્ષણો ત્યાં સુધી સામે આવતા નથી. જ્યાં સુધી કેન્સર છેલ્લા સ્ટેજમાં પહોંચતું નથી.

પેરિટોનિયલ કેન્સરના લક્ષણોમાં પેટમાં દુખાવો, એબ્ડોમિનલ બ્લોટિંગ, પેલ્વિક વિસ્તારની આસપાસ દબાણ,પેશાબમાં ફેરફાર,આંતરડાની ગતિમાં ફેરફાર યોનિમાર્ગમાંથી સ્રાવ,ખાટા ઓડકાર.વધુ ખાધા વગર પેટ ભરેલું લાગવું,વજનમાં અચાનક ફેરફાર વગેરે લક્ષણો છે.

જેમ જેમ કેન્સર વધે છે, પેટમાં પ્રવાહી એકઠું થવા લાગે છે, જેના પરિણામે પેટમાં દુખાવો,થાક લાગે છે.ઉલટી અથવા ઉબકા આવા લાગે તેમજ શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

તેવી જ રીતે, અહીં કેટલાક ચિહ્નો છે જે કેન્સર વધવા પછી સ્પષ્ટ થાય છે.પેટમાં તીવ્ર દુખાવો,આંતરડામાં અવરોધ અથવા પેશાબમાં અવરોધ,ખાવામાં કે પીવામાં મુશ્કેલી ઉલટી થવી વગેરે

આ કેન્સર મહિલાઓમાં સૌથી સામાન્ય છે, પરંતુ પુરુષોમાં પણ તે થઈ શકે છે. ઉંમર વધવાની સાથે આ કેન્સરનું જોખમ વધે છે. જો તમારા પરિવારમાં પેરીટોનિયલ અથવા અંડાશયના કેન્સરનો ઇતિહાસ હોય, તો તમને જોખમ હોઈ શકે છે. નિયમિતપણે તમારી તપાસ કરાવવી શ્રેષ્ઠ છે.

આ દુર્લભ કેન્સરમાં અસ્પષ્ટ લક્ષણો છે, જેના કારણે તેના પ્રારંભિક તબક્કામાં તેનું નિદાન કરવું મુશ્કેલ બને છે. મોટાભાગના લોકોને પેરીટોનિયલ કેન્સર તેના અદ્યતન તબક્કામાં જ ખબર પડે છે, જે બચવાની શક્યતા ઘટાડે છે. વહેલું નિદાન એ આ સ્થિતિને રોકવાનો એકમાત્ર શક્ય રસ્તો છે, અને આ માટે, લોકોએ નિયમિત આરોગ્ય તપાસ કરાવવી જોઈએ

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)