
વજાઈના આપમેળે ક્લીન થઈ જાય છે. તેમજ ઈન્ફેક્શનથી બચાવવાની રીત છે. તેથી, તે સંપૂર્ણપણે સામાન્ય છે. વજાઈનલ ડિસ્ચાર્જથી વજાઈનામાં ડ્રાઈનેસ આવતી નથી અને શારીરિક સંબંધ બાંધતી વખતે લુબ્રિકન્ટ તરીકે પણ કામ કરે છે.

જો તમને વજાઈનામાંથી વધારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને લાંબા સમય સુધી આ પરિસ્થિતિ રહે છે. કે પછી નબળાઈ અથવા કામ કરતી વખતે થાક લાગે છે. તો આના પર જરુર ધ્યાન આપવાની જરુર છે.

વજાઈનલ ડિસ્ચાર્જનું સીધું હાડકાં નબળા પડવા સાથે કોઈ સંબંધ નથી પરંતુ આ શરીરને નબળું જરુર પાડે છે. હોર્મોન ઈન્બેલેન્સ,વજાઈનલ ઈન્ફેક્શન, સ્વચ્છતા તેમજ શારીરિક સંબંધ દરમિયાન સાફ-સફાઈનું ધ્યાન નરાખવું સહિત અનેક કરાણોથી વધારે ડિસ્ચાર્જ થઈ શકે છે.

જો તમને પણ વજાઈનામાંથી વધારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને ડિસ્ચાર્જની સાથે સાથે દુર્ગંધ કે પછી બળતરા થઈ રહી છે. તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. જો વજાઈના સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા તમને છે. તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)