
તેમજ મહિલાઓમાં વજન વધવાના કારણે ફર્ટિલિટી સાથે જોડાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે. સ્થુળતાની સમસ્યા સાથે ઝઝુમી રહેલી મહિલાઓમાં મિસકેરેજનો પણ ખતરો વધી શકે છે. તેમજ જેસ્ટેશનલ ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ પણ થઈ શકે છે.

સ્થૂળતાની સમસ્યાના કારણે મહિલાઓમાં એગની ક્વોલિટી ખરાબ થવી જેવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.જો તમારું વજન વધારે હોય અને તમે પ્રેગ્નન્સીનો પ્લાન કરી રહ્યા હો, તો તમારા વજનને કારણે નેચરલી રીતે ગર્ભધારણ કરવું મુશ્કેલ બની શકે છે.

સ્થૂળતા તમારા અંડાશયમાં ઉત્પાદિત એગની ગુણવત્તાને નુકસાન પહોંચાડી શકે છે. જો તમારા અંડાશય ઉચ્ચ-ગુણવત્તાવાળા એગ ઉત્પન્ન થતા નથી, તો તમારી સ્થૂળતા આનું કારણ હોઈ શકે છે.

મહિલાઓમાં સ્થૂળતાની સમસ્યા થવાના કારણે શરીરમાં ઇન્સ્યુલિનની સમસ્યા થાય છે. આ કારણે ફર્ટિલિટી સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે.જેનાથી એગની ગુણવત્તામાં ઘટાડો થવાનો પણ સમાવેશ થાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)