
જેનાથી ફંગલ ઈન્ફેક્શનનો ખતરો વધારે રહે છે. આ માટે હંમેશા પીરિયડ્સ દરમિયાન વજાઈનાની વારંવાર સફાઈ કરો અને સમય સમય પર પેડ પણ ચેન્જ કરો.

ફંગલ ઈન્ફેક્શન અને ખંજવાળ જેવી સમસ્યાઓથી લડવામાં નારિયળનું તેલ ખુબ મદદગાર છે. જે યોનિની આસપાસ ડ્રાઈનેસથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. તમે યોનિની આસપાસ આવશ્યક તેલ લગાવી શકો છો.

જો કોઈ પણ મહિલાને પીરિયડ્સ બાદ 4-5 દિવસ સુધી ખંજવાળનો સામનો કરવો પડે છે. તેમજ આ ઘરેલું ઉપાયથી રાહત મળતી નથી તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. આ સિવાય જો પેશાબ સમયે બળતરા,દુખાવો ,વજાઈનામાં સોજો, ડિસ્ચાર્જ થાય કે દુર્ગંધ આવે છે. તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

પીરિયડ દરમિયાન અને પીરિયડ બાદ વજાઈના હાઈજીનની સ્વછતાનું ધ્યાન રાખો. વધુ માત્રામાં પાણીનું સેવન કરો. વજાઈનાની આસપાસના ભાગમાં સુંગધિત વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)