
તમને જણાવી દઈએ કે, પાટણમાં એક રસ્તાને સ્વ મણિરાજ બારોટ માર્ગ નામ પણ આપવામાં આવ્યું છે. મણિરાજ બારોટના પિતા સારંગી વગાડતા હતા. મણિરાજ પરિવારમાં 5માં નંબરના વ્યક્તિ હતા.

મણિરાજ બારોટનું સનડે સનડો ગીત આજે પણ નવરાત્રીમાં રમઝટ મચાવે છે. મણિરાજના કાર્યક્રમમાં આવવા માટે લોકો ખટરા, જીપ ભરી ભરીને પહોંચતા હતા. એટલે કે, તે સમયે ગુજરાતી અભિનેતા જેટલું મણિરાજ બારોટનું નામ હતુ.

રાજલ બારોટના પિતાનું નામ મણિરાજ બારોટ અને માતાનું નામ જશોદાબેન છે. રાજલ બારોટને 3 બહેનો છે. આજે રાજલ બારોટ એક દિકરા જેટલી જવાબદારી પરિવારને સંભાળે છે.

રાજલ બારોટે તેની બહેનોના લગ્ન પણ કરાવ્યા હતા. રક્ષાબંધન હોય કે અન્ય કોઈપણ તહેવાર રાજલ બારોટ આ તમામ જવાબદારીઓ સંભાળતી હોય છે. મણિરાજ બારોટને 4 દિકરીઓ છે.

તમને જણાવી દઈએ કે, મણિરાજ બારોટની જેમ રાજલ બારોટ પણ ગુજરાતની એક લોકપ્રિય ગાયક છે. તેને સંગીત વારસામાં મળ્યું છે. અત્યાર સુધી 100થી વધુ ગીતો પણ ગાય ચૂકી છે.

તમને જણાવી દઈએ કે, મણિરાજ બારોટની જેમ રાજલ બારોટ પણ ગુજરાતની એક લોકપ્રિય ગાયક છે. તેને સંગીત વારસામાં મળ્યું છે. અત્યાર સુધી 100થી વધુ ગીતો પણ ગાય ચૂકી છે.

રાજલ બારોટે પ્રથમ ગીત વર્ષ 2006માં ગાયું હતુ. આજે પિતાના પગલે ચાલી રાજલ જાણીતી સિંગર બની ગઈ છે. તેના આલ્બમને પણ લાખો વ્યુમળી ચૂક્યા છે.

ગુજરાતી સિંગર રાજલ બારોટે અલ્પેશ બાંભણીયા સાથે સગાઈ કરી છે. તેમની સગાઈમાં ગુજરાતના અનેક સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા.
Published On - 7:36 am, Thu, 10 October 24