
અકુંર પઠાણે કહ્યું કે, ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિવિધતાને વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કરવાની જીવનમાં તક મળી હતી.

આ કાર્યક્રમમાં અંકુર પઠાણનું યોગદાન વિવિધ પ્રદેશો અને પૃષ્ઠભૂમિના કલાકારોને એકીકૃત અને આકર્ષક પ્રદર્શન બનાવવા માટે એકસાથે લાવવામાં મહત્વપૂર્ણ હતું. તેમની કુશળતા અને સર્જનાત્મક દ્રષ્ટિએ ભારતના વિવિધ સાંસ્કૃતિક દોરાને એકસાથે ગૂંથવામાં મદદ કરી, જે દેશના સમૃદ્ધ વારસા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રદર્શન કરે છે.

અંકુર પઠાણે, અન્ય પ્રખ્યાત કોરિયોગ્રાફરો, તેમના ગુરુ કલ્પેશ દલાલ, સુભાષ નકાશે,સંજય શર્મા અને રણજીત ગોગોઈ સાથે મળીને SNA ના અધ્યક્ષ ડૉ. સંધ્યા પુરેચાજીના સુદઢ નિર્દેશનમાં આ ભવ્ય પ્રદર્શનની કલ્પના અને કોરિયોગ્રાફી કરી હતી
Published On - 7:07 pm, Fri, 31 January 25