RTEને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરાઈ, આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઈન અરજી

ગુજરાત સરકારે આરટીઈ અધિનિયમ હેઠળ મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે, ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે.

| Updated on: Mar 15, 2025 | 7:53 PM
4 / 6
ગુજરાતમાં આરટીઈ હેઠળ વિવિધ જિલ્લાઓની ખાનગી શાળાઓમાં કુલ 93,000થી વધુ બાળકોને પ્રવેશ અપાશે. અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 બેઠકો, જ્યારે સુરત શહેરમાં 15,229 અને ગ્રામ્ય વિસ્તારોમાં 3,913 બેઠકો ઉપલબ્ધ રહેશે. વડોદરામાં 4,800 અને રાજકોટમાં 6,640 બાળકો માટે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં આરટીઈ હેઠળ વિવિધ જિલ્લાઓની ખાનગી શાળાઓમાં કુલ 93,000થી વધુ બાળકોને પ્રવેશ અપાશે. અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 બેઠકો, જ્યારે સુરત શહેરમાં 15,229 અને ગ્રામ્ય વિસ્તારોમાં 3,913 બેઠકો ઉપલબ્ધ રહેશે. વડોદરામાં 4,800 અને રાજકોટમાં 6,640 બાળકો માટે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે.

5 / 6
આરટીઈ હેઠળ પ્રવેશ માટે કેટલાક વર્ગના બાળકોને પ્રાથમિકતા આપવામાં આવે છે, જેમાં અનાથ બાળકો, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો, બાળમજૂર, સ્થળાંતરીત મજૂર અને દિવ્યાંગ બાળકોનો સમાવેશ થાય છે. સાથે જ, એઆરટી (ART) સારવાર હેઠળના બાળકો, શહીદ જવાનોના સંતાનો અને માતા-પિતા માટે એકમાત્ર દીકરીઓ માટે પણ પ્રવેશમાં વિશિષ્ટ વ્યવસ્થા છે.

આરટીઈ હેઠળ પ્રવેશ માટે કેટલાક વર્ગના બાળકોને પ્રાથમિકતા આપવામાં આવે છે, જેમાં અનાથ બાળકો, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો, બાળમજૂર, સ્થળાંતરીત મજૂર અને દિવ્યાંગ બાળકોનો સમાવેશ થાય છે. સાથે જ, એઆરટી (ART) સારવાર હેઠળના બાળકો, શહીદ જવાનોના સંતાનો અને માતા-પિતા માટે એકમાત્ર દીકરીઓ માટે પણ પ્રવેશમાં વિશિષ્ટ વ્યવસ્થા છે.

6 / 6
સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા, BPL પરિવારોના બાળકો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), પછાત વર્ગ અને અન્ય અનામત વર્ગના બાળકો માટે પણ આરટીઈ પ્રવેશ ઉપલબ્ધ છે. સરકારની આ યોજના એ શ્રેણીના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા, BPL પરિવારોના બાળકો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), પછાત વર્ગ અને અન્ય અનામત વર્ગના બાળકો માટે પણ આરટીઈ પ્રવેશ ઉપલબ્ધ છે. સરકારની આ યોજના એ શ્રેણીના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

Published On - 7:52 pm, Sat, 15 March 25