
તદુપરાંત, ગુનાઓમાં સંડોવાયેલા અને જામીન પર છૂટેલા તત્ત્વો જો ફરીથી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં પકડાય તો તેમના જામીન રદ કરવા, પાસા તથા તડીપાર જેવી કાયદેસર જોગવાઈઓનો ઉપયોગ કરવા અને ભાડૂત રજિસ્ટ્રેશન નહીં કરનાર સામે પણ પગલાં ભરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

પોલીસ વડાએ રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ આદેશોના કડક અમલ માટે વ્યક્તિગત રીતે દેખરેખ રાખવા અને તુરંત કાર્યવાહી સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું છે.
Published On - 5:48 pm, Sat, 15 March 25