
રામ મંદિરમાં અર્પણ કરવામાં આવનાર સોનાના આવરણવાળી 8 કિલો ચાંદીથી બનેલી આ ચરણપાદુકા દેશભરમાં લઈ જવામાં આવી રહી છે.

રામલલા માટે ચરણ પાદુકા 1 કિલો સોના અને 8 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી છે. હૈદરાબાદના શ્રીચલ નિવાસ શાસ્ત્રીએ આ પાદુકા બનાવી છે.

19 ડિસેમ્બરે મંગળવારના રોજ સોમનાથ જ્યોતિર્લિંગ ધામમાં આ પાદુકા લાવવામાં આવી હતી જેનુ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, મેનેજર વિજયસિંહ ચાવડા, સ્થાનિક ભૂદેવો અને ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ પ્રભુ શ્રીરામ માટે બનેલ આ પાદુકાને વિરાજમાન કરીને સોમનાથ મંદિરના પૂજારી દ્વારા વિધિ વિધાનથી તેનું પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું.

સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ પ્રભુ શ્રીરામ માટે બનેલ આ પાદુકાને વિરાજમાન કરીને સોમનાથ મંદિરના પૂજારી દ્વારા વિધિ વિધાનથી તેનું પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું.
Published On - 9:42 pm, Tue, 19 December 23