ગણેશ ચતુર્થીના દિવસે રેલવે બનાવશે નવો રેકોર્ડ, દેશભરમાં ચલાવશે 380 ગણપતિ વિશેષ ટ્રેન

છેલ્લા કેટલાક વર્ષોમાં આ ખાસ ટ્રેનોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2023માં રેલવેએ 305 ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી હતી, જે વર્ષ 2024માં વધારીને 358 કરવામાં આવી હતી. હવે 2025માં રેકોર્ડબ્રેક 380 ટ્રીપો થયા છે. આનો અર્થ એ છે કે આ ગણપતિ નિમિત્તે પાછલા વર્ષો કરતાં વધુ મુસાફરો આવવાની અપેક્ષા છે.

| Updated on: Aug 24, 2025 | 9:25 AM
4 / 6
ક્યાંથી કેટલી ટ્રેનો દોડશે: રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર અને કોંકણ ક્ષેત્રમાં તહેવારો દરમિયાન ભારે ભીડને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે મહત્તમ 296 સેવાઓ ચલાવશે. પશ્ચિમ રેલવે 56 સેવાઓ ચલાવશે, જ્યારે દક્ષિણ પશ્ચિમ રેલવે 22 અને કોંકણ રેલ્વે (KRCL) 6 ટ્રિપ્સ ઉમેરશે. કોંકણ જતી ટ્રેનો માટે કોલાડ, માનગાંવ, ચિપલુણ, રત્નાગિરિ, કંકાવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, મડગાંવ, કારવાર, ઉડુપી અને સુરથકલ સહિત અનેક મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્યાંથી કેટલી ટ્રેનો દોડશે: રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર અને કોંકણ ક્ષેત્રમાં તહેવારો દરમિયાન ભારે ભીડને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે મહત્તમ 296 સેવાઓ ચલાવશે. પશ્ચિમ રેલવે 56 સેવાઓ ચલાવશે, જ્યારે દક્ષિણ પશ્ચિમ રેલવે 22 અને કોંકણ રેલ્વે (KRCL) 6 ટ્રિપ્સ ઉમેરશે. કોંકણ જતી ટ્રેનો માટે કોલાડ, માનગાંવ, ચિપલુણ, રત્નાગિરિ, કંકાવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, મડગાંવ, કારવાર, ઉડુપી અને સુરથકલ સહિત અનેક મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજનું આયોજન કરવામાં આવ્યું છે.

5 / 6
સમયપત્રક ક્યાં તપાસવું: ગણપતિ પૂજા ઉજવણી 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 2025 સુધી યોજાશે. માગમાં અપેક્ષિત વધારાને પહોંચી વળવા માટે 11 ઓગસ્ટ, 2025 થી ખાસ ટ્રેનો દોડવાનું શરૂ કરવામાં આવ્યું છે અને તહેવાર નજીક આવતાં તેમની આવર્તન વધારવામાં આવશે. મુસાફરો IRCTC વેબસાઇટ RailOne એપ અને PRS કાઉન્ટર દ્વારા ગણપતિ ખાસ ટ્રેનોનું વિગતવાર સમયપત્રક ચકાસી શકે છે.

સમયપત્રક ક્યાં તપાસવું: ગણપતિ પૂજા ઉજવણી 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 2025 સુધી યોજાશે. માગમાં અપેક્ષિત વધારાને પહોંચી વળવા માટે 11 ઓગસ્ટ, 2025 થી ખાસ ટ્રેનો દોડવાનું શરૂ કરવામાં આવ્યું છે અને તહેવાર નજીક આવતાં તેમની આવર્તન વધારવામાં આવશે. મુસાફરો IRCTC વેબસાઇટ RailOne એપ અને PRS કાઉન્ટર દ્વારા ગણપતિ ખાસ ટ્રેનોનું વિગતવાર સમયપત્રક ચકાસી શકે છે.

6 / 6
ભારતીય રેલવેએ જણાવ્યું હતું કે તે સલામત, આરામદાયક અને અનુકૂળ મુસાફરી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને જ્યારે તહેવારો દરમિયાન મુસાફરોની માગ ચરમસીમાએ હોય છે.

ભારતીય રેલવેએ જણાવ્યું હતું કે તે સલામત, આરામદાયક અને અનુકૂળ મુસાફરી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને જ્યારે તહેવારો દરમિયાન મુસાફરોની માગ ચરમસીમાએ હોય છે.

Published On - 2:00 pm, Sat, 23 August 25