
માટીના ગણેશ ભાવનગર અને તેની આજુબાજુના દરિયાકિનારા પાસેથી મળી આવતી રીવર બેડ ક્લે, રેડ સોઈલ અને ઘણીવાર ચોખાનું ભૂસુ વગેરે સમગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ઉપરાંત મૂર્તિમાં રંગવા માટે જે કલર વાપરવામાં આવે છે તે પણ ઈકો ફ્રેન્ડલી હોય છે.

2 થી 2.5 ફૂટની માટીની મૂર્તિ બનાવવા માટે આશરે બે થી ત્રણ દિવસનો સમય લાગે છે અને આ મૂર્તિને સુકાવવા માટે 15 થી 20 દિવસનો સમય લાગે છે જ્યારે 12 કે 15 ફૂટની મોટી મૂર્તિ બનાવવા માટે 1 થી સવા મહિના નો સમય લાગતો હોય છે.

આભૂષણોમાં મુગટ, ગળાનો હાર, બાજુબંધ, સાફો, હાથમાં કંગન વગેરે પહેરાવવામાં આવે છે. જેમાં મોતી ,જરી, ડાયમંડ વર્ક કરવામાં આવે છે.

ઘણીવાર ભક્તોની લાગણી ને માન આપીને આ મૂર્તિ ની અંદર વિવિધ પ્રકારના ઝાડ અને છોડના બીજ પણ રાખવામાં આવે છે

જ્યારે આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે ત્યારે આ બીજ જમીનમાંથી વૃક્ષ રૂપે કે છોડ રૂપે ઊગી નીકળે છે.