વિઘ્નહર્તા દેવને આવકારવા અમદવાદીઓમાં અનેરો થનગનાટ, વિવિધ રંગ રૂપ અને આકારની માટીની મૂર્તિઓએ જમાવ્યુ આકર્ષણ

વિઘ્નહર્તા વિનાયક, રિદ્ધિ સિદ્ધિના સ્વામીના આગમનને આડે બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદીઓ આ દુંદાળા દેવને આવકારવા અધીરા બન્યા છે. બીજી તરફ બજારોમાં માટીના ગણેશે પણ જબરુ આકર્ષણ જમાવ્યુ છે. ભાવિકો પણ માટીના ગણેશની મૂર્તિઓ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

| Edited By: | Updated on: Aug 23, 2025 | 8:18 PM
4 / 8
માટીના ગણેશ ભાવનગર અને તેની આજુબાજુના દરિયાકિનારા પાસેથી મળી આવતી રીવર બેડ ક્લે, રેડ સોઈલ અને ઘણીવાર ચોખાનું ભૂસુ વગેરે સમગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ઉપરાંત મૂર્તિમાં રંગવા માટે જે કલર વાપરવામાં આવે છે તે પણ ઈકો ફ્રેન્ડલી હોય છે.

માટીના ગણેશ ભાવનગર અને તેની આજુબાજુના દરિયાકિનારા પાસેથી મળી આવતી રીવર બેડ ક્લે, રેડ સોઈલ અને ઘણીવાર ચોખાનું ભૂસુ વગેરે સમગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ઉપરાંત મૂર્તિમાં રંગવા માટે જે કલર વાપરવામાં આવે છે તે પણ ઈકો ફ્રેન્ડલી હોય છે.

5 / 8
2 થી 2.5 ફૂટની માટીની મૂર્તિ બનાવવા માટે આશરે બે થી ત્રણ દિવસનો સમય લાગે છે અને આ મૂર્તિને સુકાવવા માટે 15 થી 20 દિવસનો સમય લાગે છે જ્યારે 12 કે 15 ફૂટની મોટી મૂર્તિ બનાવવા માટે 1 થી સવા મહિના નો સમય લાગતો હોય છે.

2 થી 2.5 ફૂટની માટીની મૂર્તિ બનાવવા માટે આશરે બે થી ત્રણ દિવસનો સમય લાગે છે અને આ મૂર્તિને સુકાવવા માટે 15 થી 20 દિવસનો સમય લાગે છે જ્યારે 12 કે 15 ફૂટની મોટી મૂર્તિ બનાવવા માટે 1 થી સવા મહિના નો સમય લાગતો હોય છે.

6 / 8
આભૂષણોમાં મુગટ, ગળાનો હાર, બાજુબંધ, સાફો, હાથમાં કંગન વગેરે પહેરાવવામાં આવે છે. જેમાં મોતી ,જરી, ડાયમંડ વર્ક કરવામાં આવે છે.

આભૂષણોમાં મુગટ, ગળાનો હાર, બાજુબંધ, સાફો, હાથમાં કંગન વગેરે પહેરાવવામાં આવે છે. જેમાં મોતી ,જરી, ડાયમંડ વર્ક કરવામાં આવે છે.

7 / 8
 ઘણીવાર ભક્તોની લાગણી ને માન આપીને આ મૂર્તિ ની અંદર વિવિધ પ્રકારના ઝાડ અને છોડના બીજ પણ રાખવામાં આવે છે

ઘણીવાર ભક્તોની લાગણી ને માન આપીને આ મૂર્તિ ની અંદર વિવિધ પ્રકારના ઝાડ અને છોડના બીજ પણ રાખવામાં આવે છે

8 / 8
જ્યારે આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે ત્યારે આ બીજ જમીનમાંથી વૃક્ષ રૂપે કે છોડ રૂપે ઊગી નીકળે છે.

જ્યારે આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે ત્યારે આ બીજ જમીનમાંથી વૃક્ષ રૂપે કે છોડ રૂપે ઊગી નીકળે છે.