Ganeshji 12 name : ગણેશજીના 12 નામ તેના અર્થ સાથે જાણો, સાથે તેમના નામના મંત્રનો પણ જાપ કરો, દરેક મનોકામના થશે પૂર્ણ

Ganeshji 12 name : કોઈપણ પૂજામાં સૌથી પહેલા ભગવાન ગણેશનું સ્મરણ કરવામાં આવે છે. તેથી જ તેમને પ્રથમ પૂજનીય કહેવામાં આવે છે. ભગવાન શિવે ભગવાન ગણેશને આશીર્વાદ આપ્યા હતા કે જ્યારે પણ પૂજા થશે ત્યારે સૌથી પહેલા તેમનું સ્મરણ કરવામાં આવશે, એટલા માટે પૂજામાં ભગવાન ગણેશને સૌથી પહેલા યાદ કરવામાં આવે છે. ગણેશના ઘણા નામ છે પરંતુ આ 12 નામો મહત્વપૂર્ણ છે - સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્ન-નાશ, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

| Updated on: Sep 04, 2024 | 12:21 PM
4 / 8
(5) લંબોદર : ગણપતિજીને મોટું પેટ એટલે કે ઉદર હોવાથી તેને લંબોદર પણ કહેવાય છે. તેનો મંત્ર- ऊँ लंबोदराय नमः છે. (6) વિકટ : ગણેશજીના વિશાળ અને કદાવર શરીરને લઈને તેનું વિકટનામ પડ્યું છે. તેમના નામનો મંત્ર છે - ऊँ विकटाय नमः

(5) લંબોદર : ગણપતિજીને મોટું પેટ એટલે કે ઉદર હોવાથી તેને લંબોદર પણ કહેવાય છે. તેનો મંત્ર- ऊँ लंबोदराय नमः છે. (6) વિકટ : ગણેશજીના વિશાળ અને કદાવર શરીરને લઈને તેનું વિકટનામ પડ્યું છે. તેમના નામનો મંત્ર છે - ऊँ विकटाय नमः

5 / 8
(7) વિઘ્નનાશ : કોઈ પણ કાર્યોમાં ગણેશજીની પ્રથમ પુજા થાય છે એટલે કે કાર્યો આડે આવતા તમામ વિઘ્નો ગણેશજી દૂર કરે છે તેથી તેને વિઘ્નનાશ પણ કહેવામાં આવે છે. તેમનો મંત્ર - ऊँ विघ्ननाशाय नमः છે. (8) વિનાયક : પોતે તટસ્થ રહીને ન્યાય કરે છે એટલા માટે તેને નામ વિનાયક નામ મળેલું છે. તેમનો મંત્ર છે - ऊँ विनायकाय नमः

(7) વિઘ્નનાશ : કોઈ પણ કાર્યોમાં ગણેશજીની પ્રથમ પુજા થાય છે એટલે કે કાર્યો આડે આવતા તમામ વિઘ્નો ગણેશજી દૂર કરે છે તેથી તેને વિઘ્નનાશ પણ કહેવામાં આવે છે. તેમનો મંત્ર - ऊँ विघ्ननाशाय नमः છે. (8) વિનાયક : પોતે તટસ્થ રહીને ન્યાય કરે છે એટલા માટે તેને નામ વિનાયક નામ મળેલું છે. તેમનો મંત્ર છે - ऊँ विनायकाय नमः

6 / 8
(9) ધૂમ્રકેતુ : રિદ્ધિ-સિદ્ધિના સ્વામી શ્રીગણેશનો રંગ ધુમાડા જેવો હોવાથી તેમને ધૂમ્રકેતુ કહેવામાં આવે છે, તેમનો નામનો મંત્ર છે - ऊँ धूम्रकेतवे नमः (10) ગણાધ્યક્ષ : ગણેશજી બધા ગુણોના અધ્યક્ષ હોવાથી તેમને ગણાધ્યક્ષ નામે પણ સંબોધવામાં આવે છે. તેમને મંત્ર છે - ऊँ गणाध्यक्षाय नमः

(9) ધૂમ્રકેતુ : રિદ્ધિ-સિદ્ધિના સ્વામી શ્રીગણેશનો રંગ ધુમાડા જેવો હોવાથી તેમને ધૂમ્રકેતુ કહેવામાં આવે છે, તેમનો નામનો મંત્ર છે - ऊँ धूम्रकेतवे नमः (10) ગણાધ્યક્ષ : ગણેશજી બધા ગુણોના અધ્યક્ષ હોવાથી તેમને ગણાધ્યક્ષ નામે પણ સંબોધવામાં આવે છે. તેમને મંત્ર છે - ऊँ गणाध्यक्षाय नमः

7 / 8
(11) ભાલચંદ્ર : તેઓ મસ્તક પર ચંદ્રનું તિલક કરે છે તેથી તેમને ભાલચંદ્ર પણ કહેવાય છે. તેમનો મંત્ર - ऊँ भालचंद्राय नमः છે.

(11) ભાલચંદ્ર : તેઓ મસ્તક પર ચંદ્રનું તિલક કરે છે તેથી તેમને ભાલચંદ્ર પણ કહેવાય છે. તેમનો મંત્ર - ऊँ भालचंद्राय नमः છે.

8 / 8
(12) ગજાનન : તેમને હાથી જેવું મુખ છે એટલે તેમને ગજાનન કહેવામાં આવે છે. તેમનો મંત્ર છે - ऊँ गजाननाय नमः

(12) ગજાનન : તેમને હાથી જેવું મુખ છે એટલે તેમને ગજાનન કહેવામાં આવે છે. તેમનો મંત્ર છે - ऊँ गजाननाय नमः