Ganeshji 12 name : ગણેશજીના 12 નામ તેના અર્થ સાથે જાણો, સાથે તેમના નામના મંત્રનો પણ જાપ કરો, દરેક મનોકામના થશે પૂર્ણ

|

Sep 04, 2024 | 12:21 PM

Ganeshji 12 name : કોઈપણ પૂજામાં સૌથી પહેલા ભગવાન ગણેશનું સ્મરણ કરવામાં આવે છે. તેથી જ તેમને પ્રથમ પૂજનીય કહેવામાં આવે છે. ભગવાન શિવે ભગવાન ગણેશને આશીર્વાદ આપ્યા હતા કે જ્યારે પણ પૂજા થશે ત્યારે સૌથી પહેલા તેમનું સ્મરણ કરવામાં આવશે, એટલા માટે પૂજામાં ભગવાન ગણેશને સૌથી પહેલા યાદ કરવામાં આવે છે. ગણેશના ઘણા નામ છે પરંતુ આ 12 નામો મહત્વપૂર્ણ છે - સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્ન-નાશ, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

1 / 8
Ganeshji 12 name Mantra : જે વ્યક્તિ દરરોજ ભગવાન ગણેશના બાર સૌથી શુભ નામોનું સ્મરણ કરે છે તેને જીવનમાં કોઈપણ પ્રકારના સંકટનો સામનો કરવો પડતો નથી. અભ્યાસ, લગ્ન, પ્રવાસ, નોકરીની શરૂઆતમાં કે અન્ય કોઈ શુભ કાર્ય કરતી વખતે ગણેશજીના બાર નામનો પાઠ કરવાથી કામમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે. શ્રીગણેશ નંબરમાં ભગવાન ગણેશના 12 નામનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને બોલવાથી વ્યક્તિના તમામ દુ:ખનો નાશ થાય છે અને તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે અમે તમને ગણેશજીના આ 12 નામો અને તેની સાથે સંકળાયેલા મંત્રો વિશે જણાવશું.

Ganeshji 12 name Mantra : જે વ્યક્તિ દરરોજ ભગવાન ગણેશના બાર સૌથી શુભ નામોનું સ્મરણ કરે છે તેને જીવનમાં કોઈપણ પ્રકારના સંકટનો સામનો કરવો પડતો નથી. અભ્યાસ, લગ્ન, પ્રવાસ, નોકરીની શરૂઆતમાં કે અન્ય કોઈ શુભ કાર્ય કરતી વખતે ગણેશજીના બાર નામનો પાઠ કરવાથી કામમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે. શ્રીગણેશ નંબરમાં ભગવાન ગણેશના 12 નામનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને બોલવાથી વ્યક્તિના તમામ દુ:ખનો નાશ થાય છે અને તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે અમે તમને ગણેશજીના આ 12 નામો અને તેની સાથે સંકળાયેલા મંત્રો વિશે જણાવશું.

2 / 8
(1) સુમુખ : સુમુખ એટલે કે સુંદર મુખવાળા. ગણેશનું આ નામ તેના સુંદર મુખને કારણે છે. તેનો મુળ મંત્ર- ऊँ सुमुखाय नमः છે. (2) એકદંત : ગણેશજીનો એક દાંત તુટેલો હોવાથી તેને એકદંતનું નામ મળેલું છે. તેનો મંત્ર છે- ऊँ एकदंताय नमः

(1) સુમુખ : સુમુખ એટલે કે સુંદર મુખવાળા. ગણેશનું આ નામ તેના સુંદર મુખને કારણે છે. તેનો મુળ મંત્ર- ऊँ सुमुखाय नमः છે. (2) એકદંત : ગણેશજીનો એક દાંત તુટેલો હોવાથી તેને એકદંતનું નામ મળેલું છે. તેનો મંત્ર છે- ऊँ एकदंताय नमः

3 / 8
(3) કપિલ : સૂરજ જેવા પીળા રંગના કારણે તેમને કપિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો મંત્ર- ऊँ कपिलाय नमः છે. (4) ગજકર્ણક : ગણેશજી હાથી જેવા કાન ધરાવનારે છે તેથી આપણે તેને ગજકર્ણક નામે સંબોધીએ છીએ. તેમનો નામનો મંત્ર છે : ऊँ गजकर्णाय नमः

(3) કપિલ : સૂરજ જેવા પીળા રંગના કારણે તેમને કપિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો મંત્ર- ऊँ कपिलाय नमः છે. (4) ગજકર્ણક : ગણેશજી હાથી જેવા કાન ધરાવનારે છે તેથી આપણે તેને ગજકર્ણક નામે સંબોધીએ છીએ. તેમનો નામનો મંત્ર છે : ऊँ गजकर्णाय नमः

4 / 8
(5) લંબોદર : ગણપતિજીને મોટું પેટ એટલે કે ઉદર હોવાથી તેને લંબોદર પણ કહેવાય છે. તેનો મંત્ર- ऊँ लंबोदराय नमः છે. (6) વિકટ : ગણેશજીના વિશાળ અને કદાવર શરીરને લઈને તેનું વિકટનામ પડ્યું છે. તેમના નામનો મંત્ર છે - ऊँ विकटाय नमः

(5) લંબોદર : ગણપતિજીને મોટું પેટ એટલે કે ઉદર હોવાથી તેને લંબોદર પણ કહેવાય છે. તેનો મંત્ર- ऊँ लंबोदराय नमः છે. (6) વિકટ : ગણેશજીના વિશાળ અને કદાવર શરીરને લઈને તેનું વિકટનામ પડ્યું છે. તેમના નામનો મંત્ર છે - ऊँ विकटाय नमः

5 / 8
(7) વિઘ્નનાશ : કોઈ પણ કાર્યોમાં ગણેશજીની પ્રથમ પુજા થાય છે એટલે કે કાર્યો આડે આવતા તમામ વિઘ્નો ગણેશજી દૂર કરે છે તેથી તેને વિઘ્નનાશ પણ કહેવામાં આવે છે. તેમનો મંત્ર - ऊँ विघ्ननाशाय नमः છે. (8) વિનાયક : પોતે તટસ્થ રહીને ન્યાય કરે છે એટલા માટે તેને નામ વિનાયક નામ મળેલું છે. તેમનો મંત્ર છે - ऊँ विनायकाय नमः

(7) વિઘ્નનાશ : કોઈ પણ કાર્યોમાં ગણેશજીની પ્રથમ પુજા થાય છે એટલે કે કાર્યો આડે આવતા તમામ વિઘ્નો ગણેશજી દૂર કરે છે તેથી તેને વિઘ્નનાશ પણ કહેવામાં આવે છે. તેમનો મંત્ર - ऊँ विघ्ननाशाय नमः છે. (8) વિનાયક : પોતે તટસ્થ રહીને ન્યાય કરે છે એટલા માટે તેને નામ વિનાયક નામ મળેલું છે. તેમનો મંત્ર છે - ऊँ विनायकाय नमः

6 / 8
(9) ધૂમ્રકેતુ : રિદ્ધિ-સિદ્ધિના સ્વામી શ્રીગણેશનો રંગ ધુમાડા જેવો હોવાથી તેમને ધૂમ્રકેતુ કહેવામાં આવે છે, તેમનો નામનો મંત્ર છે - ऊँ धूम्रकेतवे नमः (10) ગણાધ્યક્ષ : ગણેશજી બધા ગુણોના અધ્યક્ષ હોવાથી તેમને ગણાધ્યક્ષ નામે પણ સંબોધવામાં આવે છે. તેમને મંત્ર છે - ऊँ गणाध्यक्षाय नमः

(9) ધૂમ્રકેતુ : રિદ્ધિ-સિદ્ધિના સ્વામી શ્રીગણેશનો રંગ ધુમાડા જેવો હોવાથી તેમને ધૂમ્રકેતુ કહેવામાં આવે છે, તેમનો નામનો મંત્ર છે - ऊँ धूम्रकेतवे नमः (10) ગણાધ્યક્ષ : ગણેશજી બધા ગુણોના અધ્યક્ષ હોવાથી તેમને ગણાધ્યક્ષ નામે પણ સંબોધવામાં આવે છે. તેમને મંત્ર છે - ऊँ गणाध्यक्षाय नमः

7 / 8
(11) ભાલચંદ્ર : તેઓ મસ્તક પર ચંદ્રનું તિલક કરે છે તેથી તેમને ભાલચંદ્ર પણ કહેવાય છે. તેમનો મંત્ર - ऊँ भालचंद्राय नमः છે.

(11) ભાલચંદ્ર : તેઓ મસ્તક પર ચંદ્રનું તિલક કરે છે તેથી તેમને ભાલચંદ્ર પણ કહેવાય છે. તેમનો મંત્ર - ऊँ भालचंद्राय नमः છે.

8 / 8
(12) ગજાનન : તેમને હાથી જેવું મુખ છે એટલે તેમને ગજાનન કહેવામાં આવે છે. તેમનો મંત્ર છે - ऊँ गजाननाय नमः

(12) ગજાનન : તેમને હાથી જેવું મુખ છે એટલે તેમને ગજાનન કહેવામાં આવે છે. તેમનો મંત્ર છે - ऊँ गजाननाय नमः

Next Photo Gallery