
દાડમમાં કેલરી ઓછી અને ફાઇબર વધુ હોય છે. તેમાં પ્રોટીન, ફોલેટ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે.

આયર્નની હાજરીને કારણે તે એનિમિયા (લોહીની ઉણપ) થી પીડિત લોકો માટે ખાસ ફાયદાકારક છે, કારણ કે તે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.

દાડમ માત્ર ત્વચા માટે જ નહીં, પણ હૃદય, મગજ અને પાચનતંત્ર માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. તે શરીરને પૂરતી ઊર્જા પૂરી પાડે છે.

દાડમ ત્વચાના કોષોને અંદરથી હાઇડ્રેટેડ રાખે છે, કુદરતી ભેજ જાળવે છે અને શુષ્કતા અટકાવે છે. તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢીને ખીલ અને નિસ્તેજતા ઘટાડવામાં મદદ કરે છે.